Sachin Tendulkar: Corona Positive આવેલા તેન્દુલકર થયા હોસ્પિટલમાં ભરતી, લોકોને કોરોના સામે સાવધાની રાખવા કરી અપીલ

|

Apr 02, 2021 | 12:20 PM

Sachin Tendulkar: ભારતનાં પૂર્વ ક્રિકેટર અને લીજેન્ડ સચીન તેન્દુલકરને હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. આ માહિતિ તેમણે ટ્વીટ કરીને આપી હતી. સચિનને ડોક્ટરોએ સલાહ આપી હતી તે બાદ તે હોસ્પિટલમાં ભરતી થયા હતા. તેમમે ટ્વીટમાં આશા વ્યક્ત કરી છે કે તે થોડા દિવસમાં ઘરે પરત ફરી જશે. તેમણે લોકોને કોરોનાથી બચવા માટે સાવધાની વર્તવા માટે […]

Sachin Tendulkar: ભારતનાં પૂર્વ ક્રિકેટર અને લીજેન્ડ સચીન તેન્દુલકરને હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. આ માહિતિ તેમણે ટ્વીટ કરીને આપી હતી. સચિનને ડોક્ટરોએ સલાહ આપી હતી તે બાદ તે હોસ્પિટલમાં ભરતી થયા હતા. તેમમે ટ્વીટમાં આશા વ્યક્ત કરી છે કે તે થોડા દિવસમાં ઘરે પરત ફરી જશે. તેમણે લોકોને કોરોનાથી બચવા માટે સાવધાની વર્તવા માટે સલાહ આપી હતી.

 

સચિન તેન્દુલકરે હાલમાં જ રોડ સેફ્ટી વર્લ્ડ સીરીઝમાં ભાગ લીધો હતો અને તેમની કેપ્ટનશીપમાં ઈન્ડિયા લીજેન્ડે વિજય પણ પ્રાપ્ત કર્યો હતો. આ ટૂર્નામેન્ટ બાદ તેન્દુલકર કોરોના પોઝીટીવ આવ્યા હતા. આ ટૂર્નામેન્ટ પછી યુસુફ પઠાણ, ઈરફાન પઠાણ અને બદ્રીનાથ પણ કોરોના પોઝીટીવ આવ્યા હતા.

 

જણાવવું રહ્યું કે થોડા દિવસ પહેલા જ ભારતના પૂર્વ બેટ્સમેન સચિન તેંડુલકરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સચિને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ અંગે જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે, માઈલ્ડ લક્ષણો સાથે મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, ઘરના અન્ય સભ્યોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. સચિને પોતાની પોસ્ટમાં વધુમાં જણાવ્યું કે, મેં પોતાને ઘરમાં જ ક્વોરન્ટીન કર્યો છે અને હું ડોક્ટર્સ દ્વારા જણાવવામાં આવેલા તમામ પ્રોટોકોલ્સનું પાલન કરી રહ્યો છું. હું તમામ હેલ્થ પ્રોફેશનલ્સનો આભાર માનું છું, જેઓ મને અને દેશમાં અન્ય લોકોને સપોર્ટ કરી રહ્યા છે. તમે બધા પણ પોતાનું ધ્યાન રાખજો.

 

Next Video