Maharashtra: ત્રણ તારીખ-ત્રણ કામ, સામે આવ્યો રાજ ઠાકરેનો સંપૂર્ણ પ્લાન, મહા આરતીથી લઈને અયોધ્યા પ્રવાસની જાહેરાત

|

Apr 19, 2022 | 5:39 PM

આ બેઠકમાં રાજ ઠાકરેએ આગામી ત્રણ મહત્વની તારીખો માટે તૈયારી કરવા અને આગળ વધવા સૂચના આપી હતી. આ ત્રણ મહત્વની તારીખો 1 મે, 3 મે અને 5 મે છે. રાજ ઠાકરેની સભા 1 મેના રોજ ઔરંગાબાદમાં યોજાવા જઈ રહી છે.

Maharashtra: ત્રણ તારીખ-ત્રણ કામ, સામે આવ્યો રાજ ઠાકરેનો સંપૂર્ણ પ્લાન, મહા આરતીથી લઈને અયોધ્યા પ્રવાસની જાહેરાત
MNS Chief Raj Thackeray (File Image)

Follow us on

મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાની ઝુંબેશ શરૂ કરનાર મનસે ચીફ રાજ ઠાકરેએ (Raj Thackeray) આજે તેમના પક્ષના પદાધિકારીઓ સાથે (19 એપ્રિલ, મંગળવાર) તેમના નિવાસસ્થાન શિવતીર્થ ખાતે તેમના પક્ષના મહત્વપૂર્ણ પદાધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક કરી હતી. આ સભામાં રાજ ઠાકરેએ જય શ્રી રામનો નારો આપ્યો હતો. પોતાના પદાધિકારીઓને આક્રમક હિંદુત્વના માર્ગે આગળ વધવાની સૂચના આપી. આ બેઠકમાં રાજ ઠાકરેએ આગામી ત્રણ મહત્વની તારીખો માટે તૈયારી કરવા અને આગળ વધવા સૂચના આપી હતી. આ ત્રણ મહત્વની તારીખો 1 મે, 3 મે અને 5 મે છે. રાજ ઠાકરેની સભા 1 મેના રોજ ઔરંગાબાદમાં યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં ફરી એકવાર રાજકીય વાતાવરણ ગરમાવા જઈ રહ્યું છે.

1 મેના રોજ ઔરંગાબાદના કાર્યકરો મોટી સંખ્યામાં એકઠા થાય, તેમને તેની તૈયારી કરવા માટે કહેવામાં આવ્યું છે. એવું કોઈ પણ કામ કરવાની મનાઈ છે જેના કારણે સભાની પરવાનગી મેળવવામાં સમસ્યા થાય. જે પણ જવાબ આપવામાં આવશે તે રાજ ઠાકરે સભામાં તેમના ભાષણ દ્વારા આપશે. આ પછી આગામી મહત્વની તારીખ 3 મે છે.

રાજ ઠાકરેએ તેમની થાણેની બેઠકમાં માત્ર 3 મે સુધીનું અલ્ટીમેટમ આપ્યું હતું. આ પછી જો મસ્જિદોમાંથી લાઉડ સ્પીકર હટાવવામાં નહીં આવે તો મસ્જિદોની સામે લાઉડ સ્પીકર પર હનુમાન ચાલીસાના પાઠ કરવાની ચેતવણી આપવામાં આવી હતી.3 મેના રોજ અક્ષય તૃતીયા પણ છે. આ પ્રસંગે રાજ ઠાકરેએ રાજ્યભરમાં મહા આરતીનું આયોજન કરવાનો આદેશ આપ્યો છે.

શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક
ઘરમાં પોતું મારતી વખતે પાણીમાં ઉમેરો આ વસ્તુ, માખી-મચ્છર રહેશે ઘરથી દૂર
સારા તેંડુલકર આ સગાઈથી ખુશ છે, જુઓ ફોટો
હજારો રોગોનો રામબાણ ઈલાજ કરતી ગિલોય ઘરે જ ઉગાડો, આ રીત અપનાવો
રાહુ મીન રાશિમાં સ્થિત છે,આ રાશિના જાતકોને આગામી 376 દિવસમાં ફાયદો થશે
શું તમે જાણો છો દાંત પર કેટલી મિનીટ સુધી બ્રશ કરવું જોઈએ ?

5 જૂને અયોધ્યા પ્રવાસની તૈયારી

5 જૂને રાજ ઠાકરેની અયોધ્યા મુલાકાતની તૈયારીઓ ચાલી રહી છે. આ માટે સ્થાનિક વહીવટીતંત્ર સાથે ચર્ચા કરવામાં આવશે. તેની જવાબદારી બાલા નંદગાંવકર, નીતિન સરદેસાઈ જેવા MNSના સૌથી મહત્વપૂર્ણ અધિકારીઓને આપવામાં આવી છે. આ માટે 10 થી 12 ટ્રેનો બુક કરાવવાની રહેશે. રેલ્વે રાજ્ય મંત્રીને પત્ર આપવાનો રહેશે. આ સિવાય રાજ ​​ઠાકરેની સુરક્ષા માટે ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખવો પડશે.

બેઠક પૂરી થયા બાદ બાલા નંદગાંવકરે રાજ ઠાકરેના નિવાસસ્થાને યોજાયેલી બેઠક સાથે જોડાયેલી તમામ માહિતી મીડિયાને આપી હતી. આ દરમિયાન, મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાના અલ્ટીમેટમને ધ્યાનમાં રાખીને, આ મુદ્દે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે અને ગૃહ પ્રધાન દિલીપ વાલસે પાટીલ વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ છે. આ અંગે રાજ્ય સરકારની માર્ગદર્શિકા આગામી બે દિવસમાં આવશે. મુંબઈ સહિત સમગ્ર રાજ્ય માટે જાહેરનામું બહાર પાડવામાં આવશે. આ માહિતી ગૃહમંત્રી દિલીપ વાલ્સે પાટીલે પત્રકારો સાથે વાતચીત દરમિયાન આપી હતી.

આ પણ વાંચો :  Maharashtra: ‘દેશભરમાં રમખાણો ભાજપ પ્રાયોજિત છે, દિલ્હીમાં ચૂંટણી છે, તેથી તણાવ છે, મુંબઈમાં તેમની તાકાત નથી’, સંજય રાઉતના પ્રહાર

Next Article