‘ATSએ યોગી આદીત્યનાથ અને RSSના લોકોના નામ લેવા માટે ફરજ પાડી હતી’, કોર્ટમાં ફર્યો માલેગાંવ બ્લાસ્ટનો 15મો સાક્ષી

|

Dec 28, 2021 | 6:24 PM

સાક્ષીએ કોર્ટને કહ્યું કે ATSએ તેને યોગી આદિત્યનાથનું નામ લેવા દબાણ કર્યું હતું. પોતાના નિવેદનથી પીછેહઠ કરનાર આ 15મો સાક્ષી છે.

ATSએ યોગી આદીત્યનાથ અને RSSના લોકોના નામ લેવા માટે ફરજ પાડી હતી, કોર્ટમાં ફર્યો માલેગાંવ બ્લાસ્ટનો 15મો સાક્ષી
Symbolic Image

Follow us on

2008ના માલેગાંવ બ્લાસ્ટ કેસ (Malegaon Blast Case) સાથે સંબંધિત અન્ય એક સાક્ષી (Witness)  મંગળવારે સુનાવણી દરમિયાન ફરી ગયો. તેણે કોર્ટને કહ્યું કે ATSએ તેને યોગી આદિત્યનાથ (Yogi Adityanath)નું નામ લેવા દબાણ કર્યું હતું. પોતાના નિવેદનથી પીછેહઠ કરનાર આ 15મો સાક્ષી છે. મંગળવારે સુનાવણી દરમિયાન સાક્ષીએ સ્પેશિયલ એનઆઈએ કોર્ટને (Special NIA Court) કહ્યું હતું કે કેસની તત્કાલિન તપાસ એજન્સી (ATS) એટીએસ દ્વારા તેને ત્રાસ આપવામાં આવ્યો હતો. આટલું જ નહીં, એટીએસે તેમને યોગી આદિત્યનાથ અને આરએસએસના અન્ય 4 લોકોનું નામ લેવા માટે દબાણ કર્યું હતું. આ કેસમાં અત્યાર સુધીમાં 220 લોકોએ જુબાની આપી છે.

 

 

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

આ પહેલા પણ સાક્ષીઓએ પોતાના નિવેદનથી પીછેહઠ કરી

એનઆઈએને સોંપતા પહેલા એટીએસ આ મામલાની તપાસ કરી રહી હતી. આ પહેલા ઓગસ્ટમાં લેફ્ટનન્ટ કર્નલ પુરોહિતની વિરુદ્ધ નિવેદન આપનાર સાક્ષીએ પણ સુનાવણી દરમિયાન પોતાના નિવેદનથી પીછેહઠ કરી હતી.

 

જ્યારે એટીએસ આ કેસની તપાસ કરી રહી હતી, ત્યારે સાક્ષીએ તેને કહ્યું હતું કે તેણે 2008માં એક “સાહસ કાર્ય શિબિર” (Adventure camp) માં ભાગ લીધો હતો. જ્યાં ભારતમાં આતંકવાદ ફેલાવવામાં અને નાર્કોટિક્સ અને નકલી ચલણ દ્વારા દેશને નબળો પાડવામાં પાકિસ્તાનની ભૂમિકા પર ચર્ચા કરવામાં આવી હતી.

 

તે સમયે તેના નિવેદનમાં સાક્ષીએ કહ્યું હતું કે આ કેસના સાત આરોપીઓમાંથી એક લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિતે કાર્યક્રમમાં ભાષણ આપ્યું હતું. સાક્ષીએ કહ્યું કે તેને “સાહસ કાર્ય શિબિર” કહેવામાં આવતું હોવા છતાં ત્યાં તેવું કંઈપણ શીખવવામાં આવ્યું ન હતું.

 

શું છે માલેગાવ બ્લાસ્ટની ઘટના

બાદમાં કોર્ટ સમક્ષ તેની જુબાની નોંધતી વખતે સાક્ષીએ આવું કોઈ નિવેદન આપવાનો ઈનકાર કર્યો હતો, જેના પછી વિશેષ ન્યાયાધીશ પીઆર શિત્રે તેને દેશદ્રોહી જાહેર કર્યો હતો. માલેગાંવ બ્લાસ્ટ કેસમાં, 29 સપ્ટેમ્બર, 2008ના રોજ મુંબઈથી લગભગ 200 કિમી દૂર આવેલા માલેગાંવ શહેરમાં એક મસ્જિદની નજીક એક મોટર સાઈકલમાં મૂકવામાં આવેલ બોમ્બ વિસ્ફોટ થયો હતો, જેમાં છ લોકો માર્યા ગયા હતા અને 100થી વધુ ઘાયલ થયા હતા.

 

આ પણ વાંચો :  Year Ender 2021: નારાયણ રાણેના નિવેદનને લીધે બબાલથી લઈને અનિલ દેશમુખના રાજીનામાં સુધીની રાજકીય ઘટનાઓએ સમગ્ર મહારાષ્ટ્રમાં પાડ્યા પડઘા

 

 

આ પણ વાંચો :  Petrol Diesel Price Today : આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સતત બીજા દિવસે વધારો, જાણો આજના પેટ્રોલ – ડીઝલના ભાવ

Next Article