Maharashtra Swine Flu News : મહારાષ્ટ્રમાં સ્વાઈનફ્લુનો કહેર, મુંબઈમાં સૌથી વધુ દર્દીઓ, અત્યાર સુધીમાં 7 લોકોના મોત

|

Jul 23, 2022 | 12:15 PM

કોરોના સંકટ ઘટી રહ્યું છે ત્યારે ફરી સ્વાઈન ફ્લૂએ (Swine flu) માથું ઉચકવાનું શરૂ કર્યું છે. મુંબઈમાં સ્વાઈન ફ્લૂના સૌથી વધુ દર્દીઓ (43) છે અને મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 7 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે.

Maharashtra Swine Flu News : મહારાષ્ટ્રમાં સ્વાઈનફ્લુનો કહેર, મુંબઈમાં સૌથી વધુ દર્દીઓ, અત્યાર સુધીમાં 7 લોકોના મોત
Maharashtra Swine Flu News (Symbolic Image)

Follow us on

કોવિડ-19 મહામારી બાદ હવે મહારાષ્ટ્રમાં સ્વાઈન ફ્લૂનું (Swine Flu News) જોખમ વધવા લાગ્યું છે. રાજ્યભરમાં એચ1 એન1 ફ્લૂ વાયરસ (H1N1 Flu Virus) એટલે કે સ્વાઈન ફ્લૂના કારણે અત્યાર સુધીમાં સાત લોકોના મોત થયા છે. તેમજ અત્યાર સુધીમાં 142 લોકોને સ્વાઈન ફ્લૂનો ચેપ લાગ્યો છે. આ દરમિયાન સ્વાઈન ફ્લૂના દર્દીઓની વધતી જતી સંખ્યાએ વહીવટીતંત્રની ચિંતામાં પણ વધારો કર્યો છે. મહારાષ્ટ્રમાં સ્વાઈન ફ્લૂના સૌથી વધુ દર્દીઓ મુંબઈમાં છે. આ અંગે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ને પણ એલર્ટ કરવામાં આવ્યું છે.

મુંબઈમાં સ્વાઈન ફ્લૂના 43, પુણેમાં 23, પાલઘરમાં 22, નાશિકમાં 17, નાગપુરમાં 14, કોલ્હાપુરમાં 14, થાણે અને કલ્યાણ-ડોમ્બિવલીમાં બે-બે દર્દીઓ નોંધાયા છે. પુણે અને થાણેમાં બે-બે અને કોલ્હાપુરમાં ત્રણ લોકો સ્વાઈન ફ્લૂને કારણે મૃત્યુ પામ્યા છે.

તાવ જેવા લક્ષણો અવગણવા ન જોઈએ

તાવ જેવા લક્ષણોની અવગણના ખતરનાક બની શકે છે તેવો ડર આરોગ્ય નિષ્ણાતો સેવી રહ્યા છે. એટલા માટે લોકોને ખરાબ તબિયતના કિસ્સામાં ડૉક્ટરની સલાહ લેવાની અપીલ કરવામાં આવી રહી છે. સેંકડો લોકોમાં સ્વાઈન ફ્લૂ જેવા લક્ષણો જોવા મળ્યા છે, પરંતુ તપાસ બાદ ઈન્ફેક્શન ચોક્કસ ખબર પડી શકશે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

શું કાળજી રાખશો?

તમારા હાથને વારંવાર સાબુ અથવા સેનિટાઈઝરથી ધુઓ. ફેસ માસ્કનો ઉપયોગ કરો. ખાંસી કે છીંક આવે ત્યારે તમારા નાક અને મોં પર રૂમાલ રાખો. જો તમને ખાંસી કે છીંક આવે તો તરત જ તમારા હાથ ધોઈ લો. જો તમને શરદી અને ઉધરસ હોય તો ભીડવાળી જગ્યાએ જવાને બદલે ઘરમાં જ રહો. ડૉક્ટરની સલાહ પછી જ દવા લેવી જોઈએ, દુખાવો શરીરમાંથી દૂર થવો જોઈએ. સ્વાઈન ફ્લૂના ચેપના કિસ્સામાં ડૉક્ટરની સલાહ લો. સંપૂર્ણ આરામ કરો. દવાનો કોર્સ પૂર્ણ કરો, સારવાર વચ્ચે રોકશો નહીં. શરીરમાં ડીહાઈડ્રેશનથી બચવા માટે નિયમિતપણે પાણી અથવા ફળોનો રસ પીવો. યોગ્ય કાળજી લો.

વધતા કેસો માટે તાપમાનમાં થઈ રહેલો ફેરફાર જવાબદાર

છેલ્લા કેટલાક સપ્તાહો દરમિયાન તાપમાનમાં વધઘટને કારણે ચેપમાં વધારો થયો છે. મહારાષ્ટ્રમાં આ વર્ષે સ્વાઈન ફ્લૂથી મૃત્યુઆંકમાં વધારો થઈ શકે છે. નોંધનીય છે કે ગુરુવારની તુલનામાં ગઈકાલે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં થોડો વધારો થયો હતો. રાજ્યમાં 24 કલાકના ગાળામાં 2515 નવા દર્દીઓ મળી આવ્યા છે જ્યારે 2449 દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે ગયા છે. આ સમયગાળા દરમિયાન કુલ છ કોરોના દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 78,67,280 કોરોના દર્દીઓ સાજા થયા છે. તેથી રાજ્યમાં દર્દીઓનો રિકવરી રેટ 97.97 ટકા પર પહોંચી ગયો છે. રાજ્યમાં કોવિડ-19 મૃત્યુદર 1.84 ટકા છે.

Next Article