Maharashtra Schools: રજાઓ રદ થતાં નિરાશ થયેલા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, જો અભ્યાસક્રમ પૂરો નહીં થાય તો જ એપ્રિલમાં શાળાઓ રહેશે શરૂ

|

Mar 29, 2022 | 5:38 PM

એપ્રિલ મહિનામાં શાળાની તમામ રજાઓ રદ થવાના સમાચારથી નિરાશ થયેલા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે આ મહત્વપૂર્ણ સમાચાર છે. મહારાષ્ટ્રના શિક્ષણ કમિશનર સૂરજ મંધરેએ તેમના આદેશ પર સ્પષ્ટતા આપી છે.

Maharashtra Schools: રજાઓ રદ થતાં નિરાશ થયેલા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, જો અભ્યાસક્રમ પૂરો નહીં થાય તો જ એપ્રિલમાં શાળાઓ રહેશે શરૂ
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

એપ્રિલ મહિનામાં શાળાની તમામ રજાઓ રદ થવાના સમાચારથી નિરાશ થયેલા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે આ મહત્વપૂર્ણ સમાચાર છે. મહારાષ્ટ્રના શિક્ષણ કમિશનર સૂરજ મંધરેએ તેમના આદેશ પર સ્પષ્ટતા આપી છે. શિક્ષણ વિભાગના (Maharashtra School Education Department) કમિશ્નરે કહ્યું છે કે, રાજ્યમાં માત્ર એ જ શાળાઓ એપ્રિલ મહિનામાં રવિવાર અને રજાના દિવસે ખુલશે જ્યાં હજુ સુધી અભ્યાસક્રમ પૂરો થયો નથી. જે શાળાઓમાં અભ્યાસક્રમો અપડેટ કરવામાં આવ્યા છે, અભ્યાસ પૂર્ણ થયો છે, ત્યાં રજાઓ રદ કરવામાં આવશે નહીં. ત્યાં એપ્રિલની બધી રજાઓ નિયમિતપણે પુનઃસ્થાપિત કરવામાં આવશે (Vacations not canceled).

એપ્રિલ મહિનામાં કોરોના સમયગાળાની ભરપાઈ કરવા માટે મહારાષ્ટ્રના શિક્ષણ કમિશનર સૂરજ મંડ્રે દ્વારા સોમવારે શાળાઓમાં પૂર્ણ-સમય શિક્ષણ અને તમામ રજાઓ રદ કરવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો હતો. આજે (મંગળવાર, 29 માર્ચ) તેમણે આ આદેશ પર પોતાનું સ્પષ્ટીકરણ આપ્યું છે. આ વર્ષે શાળાઓમાં ઉનાળુ વેકેશન ઘટશે, એપ્રિલ મહિનામાં રવિવારે પણ શાળાએ જવું પડશે, આ સમાચારે અનેક વિદ્યાર્થીઓ અને વાલીઓના રજાના આયોજનને ખોરવી નાખ્યું હતું.

કોરોનાના સમયગાળા દરમિયાન બે વર્ષ સુધી ઘરોમાં બંધ રહ્યા બાદ ઘણા લોકોએ રજાઓમાં બહાર જવાનું આયોજન કર્યું હતું. લોકોને ટિકિટ પણ મળી ગઈ હતી. આવી સ્થિતિમાં સોમવારે રાજ્યના શિક્ષણ કમિશનરના આદેશે તેમના વેકેશન પ્લાનને ખોરવી નાખ્યો હતો. પરંતુ હવે તેમની સ્પષ્ટતા પણ સામે આવી ગઈ છે અને લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

મે રજાઓ પણ ચાલુ રહેશે, કોઈ ફેરફાર નથી

તેવી જ રીતે મે મહિનામાં પણ શાળાઓમાં રજાઓ ચાલુ રહેશે. તેમાં વહીવટીતંત્ર દ્વારા કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જે શાળાઓ જૂન મહિનાથી આગામી સત્ર શરૂ થવાનું છે, તેમની મે મહિનાની રજાના સમયપત્રકમાં કોઈ ફેરફાર થશે નહીં.

તેમના આદેશની સ્પષ્ટતામાં શિક્ષણ કમિશનરે આ બાબતોનો કર્યો ખુલાસો

આ સમગ્ર મામલે પોતાનો ખુલાસો કરતાં શિક્ષણ કમિશનરે જણાવ્યું હતું કે, ‘કોવિડના સમયગાળા દરમિયાન જે શાળાઓ અભ્યાસક્રમ પૂર્ણ કરી શકી નથી તેમને કોઈ અગવડતાનો સામનો કરવો ન પડે, તેથી એપ્રિલની રજાઓમાં શાળા શરૂ કરવાની સૂચના આપવામાં આવી હતી. જે શાળાઓએ અભ્યાસક્રમ પૂર્ણ કરી લીધો છે, ત્યાં કોઈ કારણ વગર રજાઓ રદ કરવાની જરૂર નથી. તેવી જ રીતે, મે મહિનામાં શાળા શરૂ કરવા અંગે આવી કોઈ સૂચના આપવામાં આવી નથી અને આગામી સત્ર પણ જૂનના મધ્યથી શરૂ થશે. આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓની રજાઓનું કોઈ નુકશાન નથી. તેથી શિક્ષણ વિભાગની સૂચનાઓને યોગ્ય રીતે સમજો.

આ પણ વાંચો: Maharashtra Schools: મહારાષ્ટ્રની શાળાઓમાં ઉનાળુ વેકેશન રદ, સંપૂર્ણ સમયનો અભ્યાસ, કોરોના સમયની ભરપાઈ કરવામાં આવશે

આ પણ વાંચો: AIIMS Recruitment 2022: AIIMSમાં આસિસ્ટન્ટ પ્રોફેસર સહિત ઘણી જગ્યાઓ માટે ભરતી, આ રીતે કરો અરજી

Next Article