મહારાષ્ટ્રના માનગાંવમાં બસ 60 ફૂટ નીચે ખીણમાં પડી, ભયાનક અકસ્માતમાં 4નાં મોત, 25 ઘાયલ

|

May 08, 2022 | 4:14 PM

આ ભયાનક બસ અકસ્માતમાં (Bus accident) 2 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને 2 લોકોના સારવાર દરમિયાન મોત થયા હતા. લગભગ 25 લોકો ઘાયલ થયા છે. તેની સારવાર શરૂ કરવામાં આવી છે.

મહારાષ્ટ્રના માનગાંવમાં બસ 60 ફૂટ નીચે ખીણમાં પડી, ભયાનક અકસ્માતમાં 4નાં મોત, 25 ઘાયલ
Bus accident In Maharashtra
Image Credit source: Tv9 Network

Follow us on

મહારાષ્ટ્રના (Maharshtra) માનગાંવ નજીક ઘોંસે ઘાટ પર બસ પલટી ગઈ (Bus Overturns) અને 60 ફૂટ નીચે પડી. આ ભયાનક બસ અકસ્માતમાં 2 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા અને 2 લોકોના સારવાર દરમિયાન મોત થયાના સમાચાર છે. આ અકસ્માત માનગાંવના મ્હસલા પાસે મોડદર રોડ પર થયો હતો. બસમાં કુલ કેટલા મુસાફરો હતા તેની ચોક્કસ માહિતી હજુ ઉપલબ્ધ નથી. પ્રાપ્ત માહિતી અનુસાર, અત્યાર સુધીમાં 4 લોકોના મોત થયા છે અને 25 લોકો ઘાયલ થયા છે. આ તમામ મુસાફરો મુંબઈને અડીને આવેલા થાણેના રહેવાસી હતા. તમામ ઘાયલ મુસાફરોને સારવાર માટે મ્હસલા ગ્રામીણ હોસ્પિટલ અને માનગાંવ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

અકસ્માતનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. બનાવ અંગે ઝીણવટભરી પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ખાનગી બસ થાણેથી શ્રીવર્ધન જઈ રહી હતી. ત્યારપછી બસ રાયગઢ જિલ્લાના મહસાલા તાલુકાના ઘોંસે ઘાટ પાસે પલટી ગઈ અને નીચે પડી ગઈ. બસ લગભગ 60 ફૂટ નીચે પડી છે. પ્રશાસને અકસ્માત પીડિતોની મદદ માટે સ્થળ પર તમામ વ્યવસ્થા કરી છે. જિલ્લાના સંરક્ષક મંત્રી અદિતિ તટકરે પણ મૃતકોના પરિવારજનો અને ઘાયલોને મળ્યા હતા.

4 લોકોના મોત, 25 ઘાયલ લોકોની સારવાર શરૂ

વરસાદની મોસમમાં બે વાહનો સામસામે અથડાયા હતા. પરંતુ અહીં બસ સીધી જ પાછી ફરી હતી. બસ પલટી જતાં સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે સ્થળ પર દોડી આવ્યા હતા. તરત જ એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી. માહિતી મળતા જ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે બે લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા અને સારવાર દરમિયાન ટુંક સમયમાં જ બેના મોત થયા હતા. અપડેટ મુજબ અત્યાર સુધીમાં ચાર લોકોના મોત થયા છે અને પચીસ ઘાયલોની સારવાર ચાલી રહી છે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

તમામ મુસાફરો મુંબઈને અડીને આવેલા થાણેના રહેવાસી છે.

તમામ મુસાફરો મુંબઈને અડીને આવેલા થાણેના રહેવાસી છે. તે લોકો કયા કારણોસર બસમાં મુસાફરી કરી રહ્યા હતા, તેની માહિતી હજુ સુધી મળી શકી નથી. ક્રેનની મદદથી બસને સીધી કરવામાં આવી રહી છે. ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા છે. પોલીસ તરફથી કહેવામાં આવ્યું છે કે બસ અકસ્માતના કારણની તપાસ ચાલુ છે.

Next Article