MAHARASHTRA: નારાયણ રાણેની ધરપકડ કરાઈ, રત્નાગિરિ કોર્ટે જામીન અરજી ફગાવ્યા બાદ પોલીસ એક્શનમાં

|

Aug 24, 2021 | 3:08 PM

કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ પહેલા જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી

MAHARASHTRA: નારાયણ રાણેની ધરપકડ કરાઈ, રત્નાગિરિ કોર્ટે જામીન અરજી ફગાવ્યા બાદ પોલીસ એક્શનમાં
Narayan Rane (File Image)

Follow us on

MAHARASHTRA: કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ પહેલા જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી. રત્નાગીરી કોર્ટે જામીન અરજી ફગાવી દીધી હતી. અગાઉ રત્નાગિરી પોલીસ અધિક્ષક નારાયણ રાણેને મળવા પહોંચ્યા હતા. કાગળની કાર્યવાહી થઈ અને નારાયણ રાણેની ધરપકડ કરવામાં આવી. નારાયણ રાણેને હવે રત્નાગિરિ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

નારાયણ રાણેએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર વાંધાજનક નિવેદન આપ્યું હતું. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના સ્વતંત્રતા દિવસના ભાષણનો ઉલ્લેખ કરતા રાણેએ કહ્યું હતું કે મુખ્યમંત્રીને યાદ નથી કે દેશની આઝાદીને કેટલા વર્ષો વીતી ગયા છે તે પાછળ જોઈને પૂછતો હતો. જો હું ત્યાં હોત, તો મેં તેને તેના કાન નીચે થપ્પડ મારી હોત. નાશિક પોલીસ કમિશનરના આદેશથી આ ધરપકડ કરવામાં આવી હતી.

આપને જણાવી દઈએ કે નાસિક પોલીસ કમિશનર દીપક પાંડ્યે તેની ધરપકડનો આદેશ આપ્યો હતો. તેણે રત્નાગીરી પોલીસને નારાયણ રાણેની ધરપકડ કરવા વિનંતી કરી હતી અને તે પછી નાસિક પોલીસ તેને કોર્ટમાં રજૂ કરશે. રત્નાગિરી પોલીસ અધિક્ષક દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી બાદ પોલીસની કુમક વધારી દેવામાં આવી છે.

PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ

દરમિયાન રાણેના થપ્પડના નિવેદન બાદ,મહારાષ્ટ્રમાં શિવસૈનિક આક્રમક બન્યા છે. નાશિકમાં ભાજપ કાર્યાલયમાં શિવસૈનિકોએ પથ્થરમારો કર્યો છે. કચેરીમાં ભારે તોડફોડ કરી છે અને રાણે વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. તો બીજીબાજુ સાંગલીમાં નારાયણ રાણેના સ્વાગત માટે લગાવેલા પોસ્ટરો પર શાહી ફેંકવામાં આવી હતી. આનો જવાબ આપતા રાણેએ કહ્યું, ‘શું આ શિવસેનાની મર્દાનગી છે ? હું શિવસેનાથી ડરતો નથી. શિવસેના આક્રમક છે તેનાથી હું બેવડો આક્રમક છું. મે શિવસેના છોડતા જ શિવસેનાનો અંત આવી ગયો છે. આટલુ કહીને નારાયણ રાણે તેમની નિર્ધારીત જનઆર્શિવાદ યાત્રામાં આગળ વધ્યા હતા.

નાસિક પોલીસ કમિશનરનું નિવેદન- માત્ર રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને જ ધરપકડમાંથી મુક્તિ
આ સમગ્ર મામલે બોલતા ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે કહ્યું કે રાજ્ય સરકાર કેન્દ્રીય પ્રધાનની ધરપકડ કરી શકતી નથી. ચંદ્રકાંત પાટીલે કહ્યું કે તેઓ નારાયણ રાણેના નિવેદનનું સમર્થન કરી રહ્યા નથી. પરંતુ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચોર કહ્યા હતા, તેમનું શું ?

દરમિયાન, નાસિક પોલીસ કમિશનર દીપક પંડ્યેએ મીડિયાને માહિતી આપી હતી કે કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણે સામે કેસ નોંધવામાં આવ્યો છે. તેમની ધરપકડ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અમે કાયદાનું પાલન કરી રહ્યા છીએ. ચંદ્રકાંત પાટીલના નિવેદન પર બોલતા તેમણે કહ્યું કે બંધારણ મુજબ માત્ર રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને જ ધરપકડમાંથી મુક્તિ આપવામાં આવી છે.

Published On - 2:49 pm, Tue, 24 August 21

Next Article