Maharashtra News: 2022માં મહારાષ્ટ્રમાંથી 535 છોકરીઓ ગુમ, લવ જેહાદ કે માનવ તસ્કરી? રાજ્ય મહિલા આયોગે આપ્યો જવાબ

|

May 24, 2023 | 5:06 PM

State Women Commission: વર્ષ 2022માં મહારાષ્ટ્રમાંથી 535 મહિલાઓ રહસ્યમય રીતે ગાયબ થઈ ગઈ હતી. શું આનું કારણ લવ જેહાદ છે? આનો જવાબ રાજ્ય મહિલા આયોગના ચેરપર્સન રૂપાલી ચાકણકરે આપ્યો છે.

Maharashtra News: 2022માં મહારાષ્ટ્રમાંથી 535 છોકરીઓ ગુમ, લવ જેહાદ કે માનવ તસ્કરી? રાજ્ય મહિલા આયોગે આપ્યો જવાબ
NCP Rupali Chakankar

Follow us on

535 women disappeared in 2022: વર્ષ 2022માં મહારાષ્ટ્રમાંથી 535 મહિલાઓ રહસ્યમય રીતે ગાયબ થઈ ગઈ હતી. શું તેની પાછળનું કારણ લવ જેહાદ છે? જો નહીં, તો પછી આટલી મોટી ઘટના પાછળનું રહસ્ય શું છે? મહારાષ્ટ્ર રાજ્ય મહિલા આયોગે પણ આ મુદ્દે ધ્યાન દોર્યું છે અને તેનું કારણ પણ આપ્યું છે. છેલ્લા કેટલાક સમયથી આ રીતે મહિલાઓના ગુમ થવાની ઘટનાઓ સતત વધી રહી છે. આ અંગે પત્રકારોએ રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ રૂપાલી ચાકણકરે ને પ્રશ્ન કર્યો તો તેમણે વિગતવાર જવાબ આપ્યો.

જ્યારે પત્રકારોએ પૂછ્યું કે શું આ લવ જેહાદનો મામલો છે? આ અંગે રૂપાલી ચકાંકરે કહ્યું કે, ‘આ લવ જેહાદનો મામલો હોય તેવું લાગતું નથી. લોકડાઉન દરમિયાન પિતા કે ભાઈ જેવા ઘરના પુરૂષ સભ્યોના મૃત્યુને કારણે તેમને ભારે આર્થિક મુશ્કેલીમાંથી પસાર થવું પડ્યું હતું. જેના કારણે ઘણી મહિલાઓને ઘરની બહાર નીકળવું પડ્યું હતું. કેટલાક એજન્ટોએ તેમને નોકરીની લાલચ આપી હતી. મહિલાઓ તેમની ચુંગાલમાં ફસાઈ ગઈ.

આ પણ વાંચો :Lumpy Virus : મહારાષ્ટ્રના આ જિલ્લામાં લમ્પી વાયરસનો કહેર, 90 દિવસમાં 145 પશુઓના મોત

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

‘લવ જેહાદ નહીં પણ માનવ તસ્કરીથી મહિલાઓ ગાયબ થઈ’

રૂપાલી ચકાંકરે કહ્યું કે આ મહિલાઓ લવ જેહાદની નહીં પણ માનવ તસ્કરીની જાળમાં ફસાઈ છે. તેમને ગલ્ફ દેશોમાં લઈ જઈને એજન્ટોએ તેમના મોબાઈલ અને કાગળો જમા કરાવ્યા હતા. જેના કારણે આ મહિલાઓ દેશની બહાર અજાણ્યા દેશમાં સંપૂર્ણપણે લાચાર બની ગઈ હતી.

‘ગુમ થયેલી મહિલાના પરિવારના સભ્યો મળ્યા, આનાથી ખુલ્યું રહસ્ય’

રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષે કહ્યું, ‘પુણેની ઘટના બાદ મેં પોલીસ અધિક્ષક અને પોલીસ કમિશ્નર પાસેથી આવી ઘટનાઓ અંગે માહિતી માંગી હતી. ત્યારે ખબર પડી કે વર્ષ 2022માં 535 મહિલાઓ ગુમ થઈ છે. આ મહિલાઓ માનવ તસ્કરીમાં સંડોવાયેલી હોવાની આશંકા જ છે. તેનો પરિવાર મને મળ્યો. જેના કારણે મને પણ આ ઘટનાઓની જાણ થઈ.

રૂપાલી ચકાંકરે જણાવ્યું કે, આ મહિલાઓ સારી નોકરીની શોધમાં અહીંથી જતી રહી અને પછી ત્યાં જઈને છેતરપિંડી થઈ. આ જ રીતે તેઓ માનવ તસ્કરીની જાળમાં ફસાઈ ગયા હોવાની શક્યતા વધુ જણાય છે. તેમણે કહ્યું કે મહિલાઓએ તેમની સુરક્ષા માટે ટોલ ફ્રી નંબર 1091 અને 112નો ઉપયોગ કરવામાં અચકાવું જોઈએ નહીં અને આ નંબર પર જોખમની જાણ તરત જ કરવી જોઈએ.

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article