Maharashtra: જાણો અભિનેતા અક્ષય કુમારે કઈ વાતે માન્યો નેતા પંકજા મુંડેનો આભાર?

|

Aug 13, 2022 | 8:30 AM

અક્ષય કુમારે (Akshay Kumar )કહ્યું છે કે જો આ સિનેમાથી અમે સમાજમાં 5 ટકા પણ પરિવર્તન લાવી શકીશું તો તે અમારા માટે મોટી સફળતા હશે.

Maharashtra: જાણો અભિનેતા અક્ષય કુમારે કઈ વાતે માન્યો નેતા પંકજા મુંડેનો આભાર?
Akshay Kumar thanked Pankaja Munde (File Image )

Follow us on

પંકજા મુંડે (Pankaja Munde)મહારાષ્ટ્રના રાજકારણમાં આમ તો બહુ જાણીતું નામ છે. આ સાથે તે ઘણીવાર મરાઠી (Marathi ) એન્ટરટેઈનમેન્ટ ચેનલોમાં પણ હાજરી આપતી જોવા મળે છે. તે ફરી એકવાર મરાઠી એન્ટરટેઈનમેન્ટ ચેનલમાં દેખાઈ રહી છે. હાલમાં જ એક મરાઠી ચેનલના કાર્યક્રમમાં તેણીએ હાજરી આપી હતી તો ત્યાં જ બીજી તરફ પંકજા મુંડેએ બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમાર વિશે એક ટ્વિટ કર્યું છે. અક્ષય કુમારે પંકજા મુંડેની એક વાતનો જવાબ આપ્યો છે. અક્ષયે માત્ર જવાબ જ નથી આપ્યો પણ પંકજા તાઈનો આભાર પણ વ્યક્ત કર્યો છે. જોકે પંકજા મુંડે અને અક્ષય કુમાર વચ્ચેની આ વાતચીતને લઈને માત્ર મહારાષ્ટ્રના રાજકીય વર્તુળોમાં જ નહીં, પરંતુ મરાઠી અને હિન્દી મનોરંજન જગતમાં પણ ખૂબ ચર્ચા થઈ રહી છે.

પંકજા મુંડેએ ટ્વીટ કરીને અક્ષય કુમારના વખાણ કર્યા

પંકજા મુંડેએ પોતાના ટ્વીટમાં લખ્યું, ‘રક્ષાબંધનમાં મેં અને મારી બહેને બાળકો સાથે રક્ષાબંધન ફિલ્મ જોઈ છે. મને આ ફિલ્મ ખરેખર ગમી. સમાજમાં હજુ પણ છોકરીઓના લગ્નમાં ભારે મુશ્કેલીઓ આવે છે. કારણ કે તેમને ઘણા બધા સવાલો  પૂછવામાં આવે છે. ફ્રીઝ, ટીવી, કાર, સ્ટેટસ વગેરે દહેજ જેવી વસ્તુઓ માટે પણ છોકરીઓને જીવ ગુમાવવો પડે છે. આ કેટલું કમનસીબ કહેવાય છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

સિનેમામાં આ બાબતને જે રીતે લેવામાં આવ્યું હતું તે રીતે આપણે રિઝોલ્યુશન લેવું જોઈએ. આ મુશ્કેલ છે, આપણે સંબંધોને ગુણદોષના આધારે માપીએ છીએ. તમે પણ તમારા પરિવાર સાથે આ ફિલ્મ જુઓ. આપણે નવી દિશા અને નવા સંકલ્પ સાથે તેની નવી શરૂઆત કરવી જોઈએ. સારી સિનેમા, સારો સંદેશ.” આ વાત કરતાં પંકજા મુંડેએ અક્ષય કુમારને અભિનંદન પાઠવ્યા છે.

અક્ષય કુમારનો જવાબ આવ્યો, કહ્યું- આભાર

અભિનેતા અક્ષય કુમારે પંકજા મુંડેનો જવાબ આપતા તેમનો આભાર માન્યો છે. અક્ષય કુમારે કહ્યું છે કે જો આ સિનેમાથી અમે સમાજમાં 5 ટકા પણ પરિવર્તન લાવી શકીશું તો તે અમારા માટે મોટી સફળતા હશે. દરમિયાન, એક મરાઠી ચેનલમાં પંકજા મુંડે દ્વારા કાર્યક્રમમાં કહેવામાં આવેલી વાતો ખૂબ જ લોકપ્રિય થઈ રહી છે. પ્રોમોમાં તે કહેતી જોવા મળી રહી છે કે ધારાસભ્ય સુબોધ બાબુ માટે તમે શું સમજો છો. આ જ ઈન્ટરવ્યુમાં તેણે પોતાની પાર્ટીમાં અવગણના કરવામાં આવી હોવાની વાત પણ વ્યક્ત કરી છે.

Next Article