Maharashtra Corona Rules: કોરોના પ્રતિબંધો થયા હળવા, 50 ટકા ક્ષમતા સાથે ખુલ્યા સ્પા, સલુન, સ્વીમીંગ પુલ

|

Feb 01, 2022 | 11:59 PM

કોરોનાના વધતા જતા કેસો ધીમા પડવાના કારણે હવે મહારાષ્ટ્ર સરકારે કોવિડ પ્રતિબંધોમાં થોડી છૂટછાટ આપવાની જાહેરાત કરી છે. જો કે, આ છૂટ લોકોના રસીકરણની શરતો પર આપવામાં આવશે.

Maharashtra Corona Rules: કોરોના પ્રતિબંધો થયા હળવા, 50 ટકા ક્ષમતા સાથે ખુલ્યા સ્પા, સલુન, સ્વીમીંગ પુલ
File Image

Follow us on

કોરોના (COVID-19)ના વધતા કેસો ધીમા પડતાં હવે મહારાષ્ટ્ર સરકારે (Maharashtra Govt) કોવિડ પ્રતિબંધોમાં (COVID Restrictions) થોડી છૂટછાટ જાહેર કરી છે. જો કે આ છૂટ લોકોના રસીકરણની શરતો પર આપવામાં આવશે. મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર મહારાષ્ટ્ર સરકારે એવા જિલ્લાઓ માટે કોવિડ પ્રતિબંધો હળવા કરવાની જાહેરાત કરી છે જ્યાં 18 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકોને 90% સિંગલ ડોઝ અને 70% ડબલ ડોઝ અપાઈ ગયા છે. તે જ સમયે, ઉદ્યાનો અને પ્રવાસન સ્થળોને ફરીથી ખોલવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે સ્પા, સલૂન, સ્વિમિંગ પુલ અને વોટર પાર્ક 50% સાથે સંચાલિત કરી શકાય છે. લગ્નમાં પણ 200 મહેમાનો આવી શકે છે.

મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના 15,140 નવા દર્દીઓ મળ્યા

નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં સોમવારે કોરોના વાઈરસના 15,140 નવા દર્દીઓની પુષ્ટિ થઈ હતી, જે એક દિવસ પહેલા નોંધાયેલા કેસ કરતા 7,304 ઓછા છે. તે જ સમયે વધુ 39 લોકોના મોત થયા છે. રવિવારની સરખામણીમાં સોમવારે રાજ્યમાં 7,304 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, માત્ર મુંબઈમાં સંક્રમણને (Corona Case) કારણે 26 લોકોએ જીવ ગુમાવ્યો છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. આરોગ્ય વિભાગ તરફથી કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં કુલ કેસ લોડ વધીને 77,21,109 થઈ ગયો છે, જ્યારે મૃત્યુ પામેલા લોકોની કુલ સંખ્યા 1,42,611 પર પહોંચી ગઈ છે.

મહારાષ્ટ્રમાં સોમવારે 35,453 દર્દીઓ કોરોના સંક્રમણથી સાજા થયા છે, આ સાથે અત્યાર સુધીમાં સાજા થયેલા લોકોની કુલ સંખ્યા 73,67,259 થઈ ગઈ છે. રાજ્યમાં હાલમાં કોરોનાના 2,07,350 સક્રિય કેસ છે. એ રાહતની વાત છે કે એક દિવસમાં સંક્રમિત દર્દીઓ કરતા સાજા થતા દર્દીઓની સંખ્યા વધુ છે. છેલ્લા 24 કલાકમાં 15,140 નવા કેસ નોંધાયા છે, જ્યારે એક દિવસમાં 35,453 દર્દીઓ સાજા થયા છે.

ઓમિક્રોનના 91 નવા કેસ નોંધાયા છે

જણાવી દઈએ કે રવિવારે મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના 22,444 નવા કેસ સામે આવ્યા હતા. રવિવારની સરખામણીમાં આજે રાજ્યમાં સંક્રમણના કેસમાં ઘટાડો નોંધાયો છે. તે જ સમયે, આજે 91 ઓમિક્રોન કેસ પણ નોંધાયા છે. રાજ્યમાં ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા 3,221 પર પહોંચી ગઈ છે, જેમાંથી અત્યાર સુધીમાં 1,682 દર્દીઓ સંપૂર્ણપણે સાજા થઈ ગયા છે. નાગપુરમાં ઓમિક્રોનના 18 નવા કેસ, ઔરંગાબાદ, રાયગઢ અને નવી મુંબઈમાં 11-11, મુંબઈ અને થાણેમાં 8-8, સિંધુદુર્ગ અને સાતારામાં 5-5, અમરાવતી, પિંપરી-ચિંચવડમાં 4-4 નવા કેસ નોંધાયા છે.

આ પણ વાંચો :  Maharashtra Fire: મુંબઈના કંજુરમાર્ગ વિસ્તારમાં ઘાસના મેદાનમાં લાગી ભીષણ આગ, આજુબાજુ છવાયો ગાઢ કાળો ધુમાડો

Published On - 5:26 pm, Tue, 1 February 22

Next Article