Maharashtra: યુક્રેન-રશિયા યુદ્ધને કારણે ભારતમાં વધશે પેટ્રોલ-ડીઝલના ભાવ, મોંઘવારી નિરંકુશ થશે: કેન્દ્રીય મંત્રી ભાગવત કરાડ

|

Feb 27, 2022 | 10:08 PM

કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી ભાગવત કરાડે કહ્યું, યુક્રેન-રશિયા યુદ્ધની અસર ભારત પર પડશે. આગામી સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થશે.

Maharashtra: યુક્રેન-રશિયા યુદ્ધને કારણે ભારતમાં વધશે પેટ્રોલ-ડીઝલના ભાવ, મોંઘવારી નિરંકુશ થશે: કેન્દ્રીય મંત્રી ભાગવત કરાડ
Union Minister Bhagwat Karad's statement on Russia-Ukraine war

Follow us on

યુક્રેન-રશિયા યુદ્ધે (Ukraine Russia War) સમગ્ર વિશ્વને તેની જ્વાળામાં ખેંચી લીધું છે. આ યુદ્ધના પરિણામો આખી દુનિયાએ ભોગવવા પડશે. તેની અસર દુનિયાના દરેક દેશ પર કોઈને કોઈ સ્વરૂપે જોવા મળશે. વિશ્વના ઘણા દેશોના નાગરિકો યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં અટવાયા છે. દરેક દેશ પોતાના નાગરિકોને ત્યાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ યુદ્ધને કારણે વિશ્વભરના દેશોની અર્થવ્યવસ્થાને અસર થવાની છે. ભલે તે ભારત જ કેમ ન હોય, જેણે અત્યાર સુધી તટસ્થ રહેવાની નીતિ અપનાવી છે. મહારાષ્ટ્ર બીજેપી નેતા અને કેન્દ્રીય મંત્રી ભાગવત કરાડે (Maharashtra BJP Leader & Union Minister Bhagwat Karad) પણ આ સમગ્ર મામલે મોટું નિવેદન આપ્યું છે. પહેલેથી જ આંતરરાષ્ટ્રીય બજારમાં પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવે ભારતીયોના ખિસ્સા પર ઘણો બોજ નાખ્યો છે. હવે તેનો ભાવ તેમણે હજુ વધારે ઝડપથી વધવાની આશંકા વ્યક્ત કરી છે.

જેના કારણે આ યુદ્ધે ભારત માટે મોટી ચિંતા ઉભી કરી છે. દેશમાં અત્યારે મોંઘવારી ઘણી વધી ગઈ છે. તેને કેવી રીતે ઘટાડવામાં આવે તેના પર વિચારણા ચાલી રહી હતી કે અચાનક યુદ્ધે મોંઘવારીનું સંકટ વધુ વધારી દીધુ છે. આ મુદ્દે કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી ભગવત કરાડના નિવેદન પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે આગામી દિવસોમાં મોંઘવારીથી સામાન્ય માણસની કમર તૂટી જવાની છે.

ભાગવત કરાડે સ્પષ્ટ કહ્યું, યુક્રેન-રશિયા યુદ્ધથી અહીં મોંઘવારી વધશે

કેન્દ્રીય મંત્રી ભાગવત કરાડને જ્યારે પત્રકારોએ એ પૂછ્યું કે, યુક્રેન-રશિયા યુદ્ધમાં ભારત તટસ્થ ભૂમિકામાં છે. આવી સ્થિતિમાં ભારતમાં આ યુદ્ધની શું અસર થશે? તો આ સવાલ પર ભાગવત કરાડે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, યુક્રેન-રશિયા યુદ્ધની અસર ભારત પર પડશે. આગામી સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થશે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

મહારાષ્ટ્રના આશરે 1200 વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા

ભાગવત કરાડે વધુમાં જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રના લગભગ 1200 વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયેલા છે. તેમને પરત લાવવાની તૈયારીઓ ચાલી રહી છે. યુક્રેન પર હુમલો કરવા બદલ રશિયા પર આર્થિક પ્રતિબંધો લાદવાના નિર્ણયથી યુએસ પ્રમુખ જો. બાઈડેને દુનિયાને અવગત કરી છે. કારણ કે રશિયાએ અમેરિકા અને વિશ્વભરના દેશોની ચેતવણીને અવગણીને યુક્રેન પર હુમલો કર્યો હતો. તેનાથી વિશ્વની ચિંતા વધી ગઈ છે.

શું રશિયાને રોકવા માટે વિશ્વમાં કોઈ નથી? આવા સવાલો વચ્ચે અમેરિકાએ એવો સંદેશ આપ્યો છે કે રશિયાએ આજે દુનિયા સામે માત્ર બે જ વિકલ્પ છોડ્યા છે. ત્રીજું વિશ્વ યુદ્ધ શરૂ કરવું જરૂરી છે અથવા આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ કરવાને બદલે આકરા આર્થિક પ્રતિબંધો લાદીને કાયમ માટે પાઠ આપવો જરૂરી છે. જો ત્રીજું વિશ્વ યુદ્ધ અટકાવવું હોય તો રશિયા પર આકરા આર્થિક પ્રતિબંધો જરૂરી છે.

આ પણ વાંચો :  મહારાષ્ટ્રમાં કોરોનાની ત્રીજી લહેરનો પ્રકોપ ખતમ થયો, પરંતુ માસ્ક જરૂરી : આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેનું નિવેદન

Next Article