મહારાષ્ટ્રના સિદ્ધિ વિનાયક મંદિર (Siddhivinayak Temple) માં શ્રદ્ધાળુઓનાં દર્શન માટે નવા નિયમો લાગુ થયા છે. 1 જાન્યુઆરીથી દરેક કલાક 800 શ્રદ્ધાળુઓને ઓનલાઇન બુકિંગ પછી જ દર્શન કરવા મળશે. 1 જાન્યુઆરીથી શ્રધ્ધાળુ સવારે 7 વાગ્યાથી બપોરે 12 વાગ્યે અને 12:30 વાગ્યાથી સાંજના 7 વાગ્ય સુધી દર્શન કરી શકશે.
તમને જણાવી દઈ કે કોરોના વાયરસ મહામારીનાં કારણે મંદિરો બંધ હતા. 15 નવેમ્બરના રોજ સિદ્ધિ વિનાયક મંદિર પાછુ ખોલવામાં આવ્યું હતું. મંદિરને ખોલયા પછી 1000 લોકોને દર્શનની મંજૂરી હતી. મુંબઇ સ્થિત સિદ્ધિ વિનાયક મંદિરમાં ભગવાન ગણેશના દર્શન કરવા માટે લોકો દૂર-દૂરથી આવે છે. નવા હુકમ પછી દરરોજ 9 હજાર લોકો દર્શન કરી શકશે.