આર્યન ખાન ડ્રગ્સ કેસમાં (Aryan Khan Drugs Case) આર્યન ખાનને નાર્કોટિક કંટ્રોલ બ્યુરો તરફથી ક્લીનચીટ મળી છે. આ કેસ સાથે સંકળાયેલો અભિનેતા અરબાઝ મર્ચન્ટ (Arbaaz Merchant) આર્યન ખાનનો મિત્ર છે. તેણે મોટો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે આર્યને તેને ક્રૂઝ પર ડ્રગ્સ ન લેવાનું કહ્યું હતું, કારણ કે એનસીબી (NCB) અહીં સક્રિય છે. આર્યન ખાને તેને કહ્યું હતું કે તેના માતા-પિતાએ પણ તેને કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિથી ખાસ કરીને ડ્રગ્સના સેવનથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું છે. જો કે, આ ચેતવણી છતાં અરબાઝ તેના જૂતામાં છુપાયેલો નાનો ગાંજો લઈને આવ્યો હતો. અરબાઝે તેની ધરપકડના ત્રણ દિવસ બાદ 6 ઓક્ટોબરે NCB સુપરિન્ટેન્ડેન્ટ વીવી સિંહને આપેલા નિવેદનમાં કહ્યું હતું કે તેની પાસેથી મળી આવેલ ડ્રગ્સ સાંતાક્રુઝ વિસ્તારના રહેવાસી વ્યક્તિ પાસેથી ખરીદવામાં આવ્યું હતું.
ડ્રગ્સ વેચનાર વ્યક્તિ વિશે જણાવતાં તેણે કહ્યું કે તે મોટાભાગે ગાંજો અને હશીશનો વેપાર કરે છે. અરબાઝ મર્ચન્ટે જણાવ્યું કે તેણે 2-3 વખત 4 હજાર રૂપિયા પ્રતિ 5 ગ્રામના ભાવે હેશ ખરીદ્યો હતો. તેની ચુકવણી રોકડમાં કરવામાં આવી હતી. અરબાઝે ડ્રગ ડીલરોના કેટલાક વધુ સંપર્કો આપ્યા હતા જેની પાસેથી આ પ્રતિબંધિત માદક દ્રવ્યો ખરીદી રહ્યો હતો. એક ફૂટબોલ મેચ દરમિયાન તેની મુલાકાત એક ડીલર સાથે થઈ હતી. અરબાઝે આગળ કહ્યું કે કેટલીકવાર હેશની ગુણવત્તા ઘણી નબળી હતી.
અરબાઝ ખાને કહ્યું કે આર્યન અને તે ગાઢ મિત્રો છે અને તેણે એ પણ કબૂલ્યું છે કે આર્યન જાણતો હતો કે તે એટલે કે અરબાઝ ક્યારેક હેશનું સેવન કરે છે. એટલા માટે આર્યન ખાને અરબાઝને હેશને ક્રૂઝ પર ન લઈ જવા કહ્યું. અરબાઝે કબૂલ્યું હતું કે દારૂ અને ધૂમ્રપાન પછી ક્યારેક તેનું માથું ભારે થઈ જાય છે, હેશ તેને શાંત કરે છે.
તેથી તેણે તેના જૂતામાં હેશ છુપાવી દીધુ હતું. બીજા દિવસે નોંધાયેલા અન્ય નિવેદનમાં, અરબાઝે કહ્યું કે આર્યન ખાને તેને કહ્યું હતું કે તેના માતાપિતાએ તેને કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, ખાસ કરીને ડ્રગ્સના સેવનથી દૂર રહેવા કહ્યું છે.