શું તમને ખબર છે પાણીપુરીની શોધ દ્રૌપદીએ કરી હતી? જાણો આ પાછળનો ઈતિહાસ

|

Feb 29, 2024 | 8:38 AM

Unknown Facts about Panipuri: પાણીપુરી એક પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. આ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. લોકો તેને ખૂબ જ પસંદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે તેનો સંબંધ મહાભારત કાળ સાથે છે? દ્રૌપદીએ પોતાની કલા અને જ્ઞાનનો ઉપયોગ પહેલીવાર પાણીપુરી બનાવવા માટે કર્યો હતો.

શું તમને ખબર છે પાણીપુરીની શોધ દ્રૌપદીએ કરી હતી? જાણો આ પાછળનો ઈતિહાસ
Pani-Puri

Follow us on

પાણીપુરી (Panipuri)નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે. પાણીપુરી એક પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. પાણી અને બટાકા ચણાના મસાલાથી ભરેલી પાણીપુરી ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. પાણીપુરી જુદા જુદા પ્રદેશોમાં જુદા જુદા નામથી ઓળખાય છે. ક્યાંક તેને પાણીપુરી અને તો ક્યાંક પુચકા તરીકે ઓળખવામાં આવે તો કેટલાક લોકો તેને પકોડી પણ કહે છે. છે. પાણીપુરી (Panipuri)ને બટેટા, ચણા, મસાલેદાર અને મીઠી ચટણી સાથે પીરસવામાં આવે છે. મહિલાઓને ગોલગપ્પા ખૂબ જ પસંદ હોય છે. માત્ર દેશ જ નહીં વિદેશના લોકો પણ ભારતમાં પાણીપુરીની મજા માણે છે. પરંતુ કદાચ ઘણા લોકોને ખબર નથી કે પાણીપુરીની શરૂઆત ક્યાંથી અને ક્યારે થઈ. વાસ્તવમાં, પાણીપુરી વિશે ઘણી ઐતિહાસિક અને પૌરાણિક કથાઓ છે. આવો જાણીએ પાણીપુરીનો રસપ્રદ ઈતિહાસ.

દ્રૌપદીએ પ્રથમ વખત ગોલગપ્પા બનાવ્યા હતા

પાણીપુરીનો સંબંધ મહાભારતના સમયથી છે તેમ કહેવાય છે. દ્રૌપદીએ પાંડવો માટે પ્રથમ વખત પાણીપુરી બનાવી હોવાનું કહેવાય છે. હકીકતમાં લગ્ન પછી, જ્યારે દ્રૌપદી પાંડવો સાથે તેના સાસરે પહોંચ્યા, ત્યારે કુંતીએ તેની પુત્રવધૂ દ્રૌપદીની પરીક્ષા કરવાનું વિચાર્યુ. કારણ કે તે સમયે પાંડવો વનવાસ પર હતા. તેમની પાસે ખાવા માટે વધુ સામગ્રી નહોતી. આવી સ્થિતિમાં કુંતી તેની પુત્રવધૂ દ્રૌપદી ઘર સંભાળવામાં કેટલી કુશળ છે તે ચકાસવા માગતા હતા. આવી સ્થિતિમાં કુંતીએ દ્રૌપદીને થોડા બટાકા, મસાલા અને થોડો લોટ આપ્યો.

આ સામગ્રીઓ આપતાં તેમણે કહ્યું કે તેમાંથી કેટલીક સ્વાદિષ્ટ વાનગીઓ બનાવો. જેથી પાંચ પાંડવોનું પેટ ભરાઈ જાય. પાંચ પાંડવોને ગમશે એવું કંઈક બનાવવાનું કહ્યું. આવી સ્થિતિમાં દ્રૌપદીએ લોટની પુરી બનાવી અને તેને બટાકાના મસાલા સાથે પાણી સાથે પીરસી. આ યુક્તિ કામ કરી ગઈ. પાંડવોને ગોલગપ્પા ખૂબ જ પસંદ હતા અને તેમનું પેટ પણ ભરેલું હતું. કુંતી પણ આનાથી ખૂબ પ્રસન્ન થઈ. આવા ગોલગપ્પા બનાવવાનો વિચાર આવ્યો. એવું માનવામાં આવે છે કે આ રીતે પાણીપુરીની શોધ થઈ હતી.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Picture Credit: Youtube

પાણીપુરી મગધથી આવી હતી

એવું પણ માનવામાં આવે છે કે ગોલગપ્પાની ઉત્પત્તિ મગધમાંથી થઈ હતી. મગધ એ બિહારનો પ્રદેશ છે. આજે તે દક્ષિણ બિહાર તરીકે ઓળખાય છે. એવું માનવામાં આવે છે કે મગધમાં પ્રથમ વખત પાણીપુરી બનાવવામાં આવી હતી. તે સમયે કયા નામથી ઓળખાય છે તે જાણી શકાયું નથી. પરંતુ ઘણી જગ્યાએ તેના પ્રાચીન નામ ફુલકીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

Published On - 9:48 pm, Mon, 23 May 22

Next Article