Relationship Tips : જો તમે રિલેશનશિપમાં બિનજરૂરી ટેન્શન ન ઈચ્છતા હોવ તો આ 5 ભૂલો ક્યારેય ન કરો

|

Apr 15, 2022 | 2:47 PM

દરેક વ્યક્તિ પોતાના સંબંધ(Relationship)માં વધુ સારું બોન્ડિંગ જાળવી રાખવા માંગે છે, પરંતુ કેટલીકવાર આપણી પોતાની ભૂલોને કારણે સંબંધ બગડી જાય છે. અહીં જાણો તે ભૂલો વિશે જેને આપણે ભૂલીને પણ ન કરવી જોઈએ.

Relationship Tips : જો તમે રિલેશનશિપમાં બિનજરૂરી ટેન્શન ન ઈચ્છતા હોવ તો આ 5 ભૂલો ક્યારેય ન કરો
Relationship tips (symbolic image )

Follow us on

જીવનમાં સમસ્યાઓ તો આવતી જ રહે છે, પરંતુ કેટલીક સમસ્યાઓ વર્તમાન સંજોગોને કારણે હોય છે અને કેટલીક સમસ્યાઓ આપણે આપણી ભૂલોને કારણે સર્જીએ છીએ. વિવાહિત જીવન (Married Life) માં આપણી ભૂલોને કારણે થતી સમસ્યાઓની સીધી અસર આપણા સંબંધો પર પડે છે. આવી સ્થિતિમાં ભેદભાવ વધે છે અને સંબંધ નબળા પડી જાય છે. જો તમે પણ નવા પરિણીત છો, તો પાર્ટનર સાથે તમારું બોન્ડિંગ સુધારવા અને તમારા સંબંધો (Relation)ને બિનજરૂરી તણાવથી બચાવવા માટે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખો. અહીં જાણીએ તે નાની ભૂલો વિશે જે આપણે અજાણતા અથવા જુસ્સાથી કરીએ છીએ, પરંતુ આપણે તેને ટાળવું જોઈએ.

ઝઘડાને તમારી પાસે જ રાખો

જ્યારે પતિ-પત્ની આખી જીંદગી સાથે રહે છે ત્યારે તેમની વચ્ચે કેટલાક ઝઘડાઓ થાય છે, પણ ક્યારેક આપણે આપણા ઝઘડામાં ત્રીજી વ્યક્તિને સામીલ કરતા હોય છીએ. પણ આ આપણી જ ભૂલ છે. તેનાથી તમારા પાર્ટનરના અહંકારને ઠેસ પહોંચી શકે છે અથવા ગેરસમજ ઘટવાને બદલે વધી શકે છે. તેથી, કોઈપણ ત્રીજી વ્યક્તિ સમક્ષ તમારો વિવાદ જાહેર કરશો નહીં. તેને તમારી વચ્ચે હલ કરવાનો પ્રયાસ કરો.

તમારો ખાનગી સમયમાં બીજા કોઈને ન આપો

એ વાત સાચી છે કે તમારે જીવનમાં ઘણા સંબંધો નિભાવવા પડે છે. પરંતુ આ સંબંધોમાં એટલા વ્યસ્ત ન થાઓ કે તમે તમારા પાર્ટનરને ભૂલી જાઓ. બહારના લોકોને એટલો સમય ન આપો કે તમને તમારા પાર્ટનર સાથે સમય પસાર કરવાનો મોકો ન મળે. વાત કરવા માટે એક સમય નક્કી કરો અને તમારા અંગત સમયમાં કોઈપણ વ્યક્તિને પ્રવેશ ન આપો, સિવાય કે ખૂબ જ તાકીદની પરિસ્થિતિ હોય.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ધીરજ જરૂરી છે

જો તમને તમારા પાર્ટનર વિશે ખરાબ લાગ્યું હોય, અથવા તમને લાગે કે તે તમારી સાથે કંઈક ખોટું કરી રહ્યા છે, તો આ બાબતે ગુસ્સે થવાને બદલે ધીરજથી તમારા પાર્ટનર સાથે વાત કરો. તેને તમારી સમસ્યા કહો અને પૂછો કે આ કેમ થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં તમારી સ્થિતિ ત્યાં સ્પષ્ટ થશે. એ પણ શક્ય છે કે તમારા પાર્ટનરને ભૂલનો અહેસાસ થાય. ગુસ્સો જ સંબંધ બગાડે છે.

વસ્તુઓ ખાનગી રાખો

પતિ-પત્નીની કેટલીક બાબતો પરસ્પર હોય છે. ઘણા લોકો તેને મિત્રો સાથે અથવા માતાપિતા, ભાઈ-બહેન વગેરે સાથે શેર કરે છે. પરંતુ પરસ્પર વાતો ક્યારેય કોઈને ન કહેવી જોઈએ. દરેક સંબંધની એક ગરિમા હોય છે, તેને જાળવવી ખૂબ જ જરૂરી છે.

બીજાના વિચારોને અનુસરશો નહીં

દરેક વ્યક્તિનો સ્વભાવ અને સ્થિતિ એકબીજાથી અલગ હોય છે. આવી સ્થિતિમાં, તમે કોઈની પણ વાત સાંભળો, તમારા સંબંધો પર કોઈનો અભિપ્રાય થોપશો નહીં. તમે તમારા સંબંધની દરેક નાની-નાની વાતને વધુ સારી રીતે સમજી શકો છો, તેથી તમને જે યોગ્ય લાગે તે કરો.

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે અને તેને વિવિધ લેખનાં આધારે તૈયાર કરવામાં આવ્યો છે. આ તમામ સાથે Tv9 ગુજરાતી પણ સંમત જ છે તેમ માનવું નહી

આ પણ વાંચો :Gujarat Elections 2022: ચૂંટણી પહેલા જ્ઞાતિ અને સમુદાયોના સમીકરણ સાધવા રાજકીય ગતિવિધી તેજ, ભાજપ બક્ષીપંચ મોરચો યોજશે રાજ્યમાં ખાટલા પંચાયત

આ પણ વાંચો :પંચાયત પ્રમુખની ઓફિસમાંથી PM મોદીની તસવીર હટાવાતા રાજકીય ધમાસાણ, જુઓ વાયરલ VIDEO

 

Next Article