
આ ઘટક વિના રસોડાની કલ્પના કરી શકતા નથી. ખાંડ પણ કાયમ માટે સંગ્રહિત કરી શકાય છે પરંતુ એક શરત છે. તેને હંમેશા ભેજ અને ગરમીથી દૂર રાખવું જોઈએ. સમય સાથે, તમે ખાંડની રચનામાં ફેરફાર જોશો પરંતુ તે સંપૂર્ણપણે બગડશે નહીં.

કોર્નસ્ટાર્ચનો ઉપયોગ સામાન્ય રીતે ગ્રેવી જાડી કરવા, ચટણીઓ, સૂપ બનાવવા માટે થાય છે. આ એવો ખોરાક છે જે કાયમ માટે ટકી શકે છે. જો કે, એકમાત્ર શરત એ છે કે તે ભીનું ન થાય. તે ઠંડી અને સૂકી જગ્યાએ સંગ્રહિત થવો જોઈએ.

સોયા સોસ સામાન્ય રીતે શાકભાજીમાં , નૂડલ્સ બનાવતી વખતે વપરાય છે. તે વાનગીઓને એક સારો સ્વાદ અને રંગ આપે છે.સોયા સોસમાં મીઠું વધારે પ્રમાણમાં હોય છે. મીઠું પ્રિઝર્વેટિવની જેમ કામ કરે છે જે તેને ખરાબ થવા દેતું નથી. જો અંધારાવાળી જગ્યામાં સંગ્રહિત હોય, તો તેનો ઉપયોગ ખરેખર લાંબા સમય સુધી થઈ શકે છે.

સફેદ સરકો એટલે કે સફરજનનો સરકો ક્યારેય ખરાબ થતો નથી. આ ખોરાક પ્રકૃતિમાં એસિડિક હોય છે અનેતે સ્વયં પોતાને સાચવે છે. તેને રેફ્રિજરેશનની પણ જરૂર નથી.

શુદ્ધ વેનીલા આર્ક પણ રસોડામાં રાખવામાં આવતી એવી વસ્તુ છે જેની પણ એક્સપાયરી ડેટ હોતી નથી.