
વરમાળા સમારોહનો ઉદ્ભવ આપણા પવિત્ર ગ્રંથોમાં જોવા મળે છે. જ્યાં એક છોકરી તેના ગળામાં માળા નાંખીને તેના વરને પસંદ કરે છે. આથી જ વરમાળાનો સમારંભ સ્વીકૃતિનો સંકેત આપે છે. કન્યા અને વરરાજા તાજા ફૂલોથી બનેલા માળાની આપ -લે કરે છે ત્યારે તેઓ એકબીજાને પતિ -પત્ની તરીકે સ્વીકારે છે.

પિતા માટે તેની દીકરી રાજકુમારી હોય છે. તે તેને લાડ લડાવે છે, તેનું ધ્યાન રાખ્યું હોય છે, જ્યારે પણ દીકરીને સપોર્ટ સિસ્ટમની જરૂર હોય ત્યારે તેનો હાથ પકડ્યો છે. પણ હવે તે પપ્પાની રાજકુમારી નથી, પરંતુ હવે તેના પતિની રાણી થશે. કન્યાદાન એક અત્યંત ભાવનાત્મક વિધિ છે જ્યાં કન્યાના પિતા વરરાજાના જમણા હાથની ઉપર કન્યાનો જમણો હાથ મૂકે છે અને સત્તાવાર રીતે તેની પુત્રીને આપે છે.

હિન્દુ લગ્નમાં સાત લગ્નની પ્રતિજ્ઞાઓ અથવા 'સાત ફેરા' એ સૌથી પ્રખ્યાત વિધિઓમાંથી એક છે જ્યાં વર અને કન્યા અગ્નિની પરિક્રમા કરે છે અને એકબીજાને વચનો આપે છે. આ 7 વચનોમાં સમાવેશ થાય છે; એકબીજાને પોષણ આપવાનું, એકબીજાને આધ્યાત્મિક, માનસિક અને શારીરિક રીતે વૃદ્ધિ કરવામાં, સંપત્તિ અને સમૃદ્ધિ જાળવવામાં મદદ કરવા માટેનું વ્રત. ચોથું વ્રત એકબીજા સાથે આનંદ અને દુઃખ વહેંચવાનું છે અને ત્યારબાદ તેમના બાળકોની જરૂરિયાતો એકસાથે પૂરી કરવાનું વ્રત છે. છઠ્ઠું વ્રત બધી જવાબદારીઓ વહેંચવાનું છે અને છેલ્લે, તેઓ એકબીજાને સાચી મિત્રતા અને સાથનું બંધન કરવાનું વચન આપે છે.

કન્યાને તેના પરિવાર દ્વારા ભાવનાત્મક વિદાય આપવામાં આવે છે, અને તે તેના માથા પર ત્રણ મુઠ્ઠી ચોખા અને સિક્કા ફેંકી દે છે જે તેના માતાપિતાને પ્રેમ અને કાળજી સાથે ઉછેરવા માટે તેનું દેવું ચૂકવે છે.

વરરાજાના ઘરે પહોંચ્યા પછી, માતા પરંપરાગત આરતી સાથે બંનેનું સ્વાગત કરે છે. કન્યા ચોખાના કલશને પછાડીને તેના નવા ઘરમાં પ્રવેશ કરે છે જે પ્રતીક છે કે તે વિપુલતા અને સમૃદ્ધિની શરૂઆત કરી રહી છે. ત્યારબાદ કન્યા લાલ કંકુમા પગ મૂકે છે અને અંદર જાય છે, દેવી લક્ષ્મીને આવકારવા માટે પગના નિશાન પાછળ છોડી દે છે.