Chanakya Niti : દરેક માતા-પિતાએ તેમના બાળકોની સામે આ 4 બાબતોનું ધ્યાન રાખવું જોઈએ

|

Feb 17, 2022 | 8:09 AM

ચાણક્ય નીતિમાં આચાર્યએ કહ્યું છે કે માતા-પિતાએ બાળકોની સામે ખૂબ જ સમજી વિચારીને વર્તવું જોઈએ, કારણ કે તમારા બાળકો તમને જોઈને શીખે છે. આવી સ્થિતિમાં તમારું ખોટું વર્તન તમારા બાળકની આદતોને બગાડી શકે છે.

Chanakya Niti : દરેક માતા-પિતાએ તેમના બાળકોની સામે આ 4 બાબતોનું ધ્યાન રાખવું જોઈએ
chanakya-niti (symbolic image )

Follow us on

આચાર્ય ચાણક્ય (Acharya Chanakya) ના શબ્દો સાંભળવામાં કઠોર લાગે છે, પરંતુ વાસ્તવમાં જો તમે તેને જીવનમાં અપનાવશો તો તમે મોટા સંકટથી પણ સરળતાથી બચી શકશો. આચાર્ય ચાણક્યએ જે કહ્યું તે બધું જ તેમના જીવનનો સાર છે. આચાર્ય એક મહાન વ્યક્તિત્વ હતા. તેઓ અર્થશાસ્ત્ર (Economic), રાજકારણ, સમાજશાસ્ત્ર વગેરે જેવા તમામ વિષયોનું ઊંડું જ્ઞાન ધરાવતા હતા.

આચાર્ય એટલા અનુભવી હતા કે તેઓ કોઈપણ પરિસ્થિતિને સમય પહેલા જોઈ લેતા હતા અને તેનો સામનો કરવા માટે વ્યૂહરચના તૈયાર કરતા હતા. તે આચાર્યની કુશળ બુદ્ધિ હતી, જેના આધારે તેમણે સમગ્ર નંદ વંશનો નાશ કર્યો અને મૌર્ય વંશની સ્થાપના કરી. આચાર્યએ તેમના પુસ્તક ચાણક્ય નીતિમાં જીવનના દરેક પાસાને આવરી લેવાનો પ્રયાસ કર્યો છે. અહીં જાણો કેટલીક એવી બાબતો વિશે જેનું માતા-પિતાએ બાળકોમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ, નહીં તો તમારા બાળકો પર ખરાબ અસર પડે છે.

ભાષા

તમારા બાળકો તમને જોઈને શીખે છે. જો તમે ઈચ્છો છો કે તમારા બાળકો નમ્ર અને સંસ્કારી બને, તો સૌથી પહેલા તેમની ભાષા સુધારવાની જરૂર છે. આ માટે તમારે તેમની સામે સારી ભાષાનો ઉપયોગ કરવો પડશે. જો તમે બાળકોની સામે ખોટી ભાષા બોલો છો, તો તમારા બાળકો પણ તેને અનુસરશે.

ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?

જૂઠું બોલશો નહીં

ઘણી વખત માતા-પિતા બાળકોની સામે જૂઠું બોલે છે, અથવા પોતાના સ્વાર્થ માટે બાળક સાથે ખોટું બોલે છે, જેના કારણે તમારા બાળકો જૂઠું બોલતા શીખે છે. આગળ જતા તેમની આ આદત તમારા માટે મુશ્કેલી વધારી શકે છે.

પરસ્પર એક બીજાનો આદર કરો

બાળકોની સામે હંમેશા એકબીજા સાથે આદરપૂર્ણ ભાષામાં વાત કરો. જો તમે એકબીજાને માન નહીં આપો તો તમારા બાળકો તમારી પાસેથી આ શીખશે. ભવિષ્યમાં તેઓ તમારું અપમાન કરતાં પણ ખચકાશે નહીં.

ખામીઓ શોધશો નહીં

ઘરમાં એકબીજાની ખામીઓ ન કાઢો. કોઈનું અપમાન ન કરો. તમારી આ આદત તમારા બાળકોને ફક્ત બીજાની ખામીઓ શોધવાનું શીખવશે. આવી સ્થિતિમાં, બાળકોની શીખવાની ક્ષમતા ઘટશે અને તેઓ બીજાને અપમાનિત કરવામાં અચકાશે નહીં.

આ પણ વાંચો : Viral: ટીવી પર ‘ધ લાઈન કિંગ’ને જોઈને કૂતરાએ પણ કર્યું નમન, લોકોને ખુબ પસંદ આવ્યો વીડિયો

આ પણ વાંચો :Health Tips : અળસીનું સેવન મહિલાઓની આ સમસ્યાઓ કરે છે દૂર, જાણો ખાવાની સાચી રીત

Next Article