Gujarati NewsLatest newsYasin malik led jklf banned under anti terror law by central government of india
કેન્દ્ર સરકારની સૌથી મોટી કાર્યવાહી, અલગાવવાદી નેતા યાસિન મલિકના સંગઠન JKLF પર પ્રતિબંધ
પુલવામામાં આતંકી હુમલા બાદ સરકાર હરકતમાં આવી છે. જમ્મુ-કાશ્મીરમાં વિવિધ અલગાવવાદી નેતાઓની ધરપકડ બાદ હવે તેના સંગઠનો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. TV9 Gujarati આતંકવાદ સામેની લડાઈમાં સરકારે શુક્રવારના રોજ એક મોટો ફેંસલો લીધો છે. જમ્મુ-કશ્મીરના અલગાવવાદી નેતા યાસીન મલિકના સંગઠન પર સરકારે મોટી કાર્યવાહી કરી છે. જમ્મુ-કશ્મીર લિબરેશન ફ્રંટ પર સરકારે પ્રતિબંધ […]
Follow us on
પુલવામામાં આતંકી હુમલા બાદ સરકાર હરકતમાં આવી છે. જમ્મુ-કાશ્મીરમાં વિવિધ અલગાવવાદી નેતાઓની ધરપકડ બાદ હવે તેના સંગઠનો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આતંકવાદ સામેની લડાઈમાં સરકારે શુક્રવારના રોજ એક મોટો ફેંસલો લીધો છે. જમ્મુ-કશ્મીરના અલગાવવાદી નેતા યાસીન મલિકના સંગઠન પર સરકારે મોટી કાર્યવાહી કરી છે. જમ્મુ-કશ્મીર લિબરેશન ફ્રંટ પર સરકારે પ્રતિબંધ લગાવી દીધો છે. કેબિનેટની સુરક્ષા બેઠકમાં આ ફેંસલો લેવામાં આવ્યો છે. સરકારે આતંકવાદી વિરોધી કાનૂનને લઈને આ સખ્ત કાર્યવાહી કરી છે.
કેન્દ્રીય ગૃહ સચિવ રાજીવ ગોબાએ જણાવ્યું કે સરકારે ગેરકાનૂની ગતિવિધિરોધક અધિનિયમ, 1967ને આધારે જમ્મુ કશ્મીર લિબરેશન ફ્રંટને પ્રતિબંધિત કરવામાં આવ્યું છે. આ કદમ ભારત સરકારે આતંકવાદીઓ સામે ઝિરો ટોલેરન્સ નીતિને લઈને ઉપાડ્યો છે.