જેટલી વારમાં આપ રસોઈ કરીને જમશો, એટલી વારમાં તો હવે અમદાવાદથી પોરબંદર પહોંચી શકાશે !

|

Jan 10, 2019 | 9:55 AM

સામાન્ય વ્યક્તિઓનુ વિમાનમા બેસવાનુ સ્વપ્ન સાકાર થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ઉડાન -2 સેવાની શરુઆત કરવામા આવી છે. આ સેવા હેઠળ સામાન્ય વ્યક્તિ માત્ર 1200થી 1500 રુપિયામા જ વિમાનમા સવારી કરી શકાશે. ટ્રુ જેટની આ વિમાની સેવા અમદાવાદથી જેસલમેર અને અમદાવાદથી પોરબંદર માટે શરુ કરવામા આવી છે. Web Stories View more IPL 2024માં સુનિલ […]

જેટલી વારમાં આપ રસોઈ કરીને જમશો, એટલી વારમાં તો હવે અમદાવાદથી પોરબંદર પહોંચી શકાશે !

Follow us on

સામાન્ય વ્યક્તિઓનુ વિમાનમા બેસવાનુ સ્વપ્ન સાકાર થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ઉડાન -2 સેવાની શરુઆત કરવામા આવી છે. આ સેવા હેઠળ સામાન્ય વ્યક્તિ માત્ર 1200થી 1500 રુપિયામા જ વિમાનમા સવારી કરી શકાશે.

ટ્રુ જેટની આ વિમાની સેવા અમદાવાદથી જેસલમેર અને અમદાવાદથી પોરબંદર માટે શરુ કરવામા આવી છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

અમદાવાદથી પોરબંદર તમે બસમા મુસાફરી કરવા ઇચ્છતા હોય તો 900 રુપિયા ચુકવવા પડે અનેજો આ જ મુસાફરી ટ્રેનમાં સેકન્ડ ક્લાસમા કરવા ઇચ્છતા હોય તો 1100 રુપિયા સુધી ચુકવવા માટે તૈયાર રહેવુ પડે, પરંતુ તમે લગભગ આટલા જ ભાડામાં હવે પ્લેન દ્વારા પોરબંદર પહોંચી શકો છો. અમદાવાદથી પોરબંદર ટ્રુ જેટ પ્લેનમાં મુસાફરી કરવી હોય તો 1200 રુપિયામા આપ પ્લેનમા મુસાફરી કરી શકો છો.

આ જ રીતે જો જેસલમેર જવુ હોય તો ટ્રેનની સીધી સુવિધા ન હોવાને કારણે ફરજિયાત બસમા મુસાફરી કરવી પડે અને તેમા પણ 9થી 10 કલાક જેટલો સમય ફાળવવો પડે કે જેમા ટ્રાફિકથી લઇને અનેક સમસ્યાઓ સાથે બસ મુસાફરી માટે 1000 રુપિયા ચુકવવા પડે અને આ જ મુસાફરી આપ ટ્રુ જેટના વિમાનમાં કરો, તો માત્ર 1500 રુપિયામાં અને એ પણ દોઢ કલાકમા આપ જેસલમેર પહોચી શકો છો.

ગુજરાતમા હવે અમદાવાદથી પોરબંદર જેવા એક જ રાજ્યના અલગ અલગ જિલ્લામા પણ ફ્લાઇટની સેવાની શરુ કરવામા આવનાર છે કે જેના કારણે હવે એક જ રાજ્યના અલગ અલગ શહેરોની મુસાફરી સરળ બની શકશે. તેનાથી મુસાફરો માટે ટ્રાફિકની સમસ્યાનુ નિરાકણ અને સમયની બચત પણ થશે

હાલમા ટ્રુ જેટની આ નવી ફ્લાઇટથી અમદાવાદ ઍરપોર્ટ પરથી શરુ કરાતા લોકલ ઍર કનેક્ટિવિટીને વેગ મળશે. સાથે જ સામાન્ય ભાડાના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પણ વિમાનમાં સરળતાથી મુસાફરી કરી શકશે. તો પ્રવાસન ક્ષેત્રે ગુજરાત આવનાર વ્યક્તિઓ માટે પણ સમયનો બચાવ કરીને વધુ સ્થળોની મુલાકાત શક્ય બનશે.

જુઓ VIDEO :

[yop_poll id=543]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 9:48 am, Thu, 10 January 19

Next Article