ઉંમર વધવાની સાથે શરીર ઘણી બીમારીઓથી ઘેરાવા લાગે છે. ખાસ કરીને એક્સરસાઈઝ અને યોગ કરવામાં નહીં આવે તો ધીરે ધીરે શરીરના અંગો શિથિલ પડવા લાગે છે. તમને જણાવી દઈએ કે સ્વસ્થ રહેવા માટે હેલ્ધી ડાયેટ લેવું ખૂબ જરૂરી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
1). કેટલાક લોકોને વિશ્વાસ નહીં આવે પણ આપણા શરીર માટે પાણી રામબાણ છે. જે લોકો પાણી ઓછું પીએ છે એમના શરીરમાં વેસ્ટ મટીરીયલ વધારે રહે છે. તેવામાં એ બહુ જરૂરી છે કે રોજની ડાયેટમાં સૌથી વધારે પાણી પીવાનું ઉમેરવામાં આવે જેથી શરીરમાંથી નકામો કચરો નીકળી જાય છે.
2). જ્યારે આપણે શરીરની વાત કરીએ તો શરીરના મહત્વપૂર્ણ હિસ્સા મગજને ના ભૂલવું જોઈએ અને તેના માટે રોજની ડાયેટમાં મગજના વિકાસ માટે જરૂરી બદામનું સેવન જરૂર કરવું જોઈએ.
3). આપણા શરીર માટે લીલી શાકભાજી પણ ખૂબ જરૂરી છે. જે ખાવાથી શરીરને જરૂરી પ્રોટીન, વિટામિન અને મિનરલ્સથી પોષણ મળે છે.
4). આયુર્વેદમાં હળદરના ઘણા ફાયદા બતાવવામાં આવ્યા છે. તેનું રોજ સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. તેનાથી શરીરના બહારના જ નહીં પણ અંદરના ઘા પણ સારા થાય છે. તેનાથી ડાયાબીટીસ પણ કંટ્રોલમાં રહે છે.
5). રોજનું એક સફરજન ખાવાથી ડોકટર પાસે જવાની જરૂર નથી રહેતી. તેનાથી શરીર સ્વસ્થ રહે છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો