PM MODI LIVE- વડાપ્રધાન મોદી આજે આસામનાં તેજપુર ખાતે દિક્ષાંત સમારંભમાં સામેલ થયા. તેજપુરનાં વિદ્યાર્થીઓ સાથે તેમણે સંવાદ કર્યો હતો. તેમણે જણાવ્યું કે વિદ્યાર્થીઓના ભવિષ્ય પર તેમને પુરો ભરોસો છે.
વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે કોરોનાકાળમાં સૌથી વધારે ઝડપથી ફેંસલા લેવામાં આવ્યા છે. વૈજ્ઞાનિકો પર ભરોસો મુક્યો તો તેનું પરિણામ જોવા મળ્યું
તેજપુરનાં વિદ્યાર્થીઓ સાથેની વાતચીતમાં તેમણે ભારતની ક્રિકેટ ટીમના તાજેતરનાં વિજયનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે ખેલાડી ઈજાગ્રસ્ત થયા બાદ પણ અનુભવી ખેલાડીઓને લઈને ટીમને જીત મળી છે. એટલે કે અનુભવ ઓછો હતો પણ ક્ષમતાને લઈ જીત મળી
વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે પૂર્વનાં ભારતનાં સામર્થ્ય પર તેમને ભરોસો છે. તેજપુરમાં કચરામાંથી કંચન બનાવવાનું કામ થયું છે. સંશોધનથી સમસ્યાનું સમાધાન કરવાનું છે
વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે નોર્થ ઈસ્ટનાં વિકાસને એક સ્તર પર લઈ જવો છે. સરકારનાં પ્રયાસોનો પુરેપુરો લાભ ઉઠાવવામાં આવે.નવા ભારત અને આત્મનિર્ભર ભારત માટે જીવવાનું છે
વડાપ્રધાન મોદીએ તેજપુરનાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતા જણાવ્યું હતું કે તેજપુરનાં આ વિદ્યાર્થીઓ દેશની પ્રગતિમાં મહત્વનો ફાળો આપશે. તેજપુરની ઓળખ લોકલ ફોર વોકલ માટે તાકાત પુરી પાડશે
વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે વિદ્યાર્થીઓ જેટલા ખુશ તેટલો જ હું પણ ખુશ છું. વિદ્યાર્થીઓનાં ભવિષ્ય પર મને પુરો વિશ્વાસ છે. તેજપુરનાં વિદ્યાર્થીઓથી આસામ અને પૂર્વ ભારતનો વિકાસ થશે.
Published On - 11:22 am, Fri, 22 January 21