NAVSARI : વાંસદામાં એક જ પરિવારના ત્રણ સભ્યોના સામુહિક આપઘાતથી સમગ્ર પંથકમાં શોકનું વાતાવરણ

|

Sep 01, 2021 | 3:23 PM

Mass Suicide in Navsari : એકના એક પુત્રએ બીમારીથી કંટાળી આત્મહત્યા કરતા માતા-પિતાએ પણ ફાંસો ખાઈ કર્યો આપઘાત કરી લીધો છે.

NAVSARI : વાંસદામાં એક જ પરિવારના ત્રણ સભ્યોના સામુહિક આપઘાતથી સમગ્ર પંથકમાં  શોકનું વાતાવરણ
Navsari : Three members of the same family committed mass suicide in Vansada

Follow us on

NAVSARI :નવસારીના વાંસદા તાલુકાથી હદયદ્રાવક ઘટના સામે આવી છે. વાંસદાના મોળાઆંબા ગામે એકજ પરિવારના ત્રણ સભ્યોએ ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું ના સમાચાર છે. એકના એક પુત્રએ બીમારીથી કંટાળી આત્મહત્યા કરતા માતા-પિતાએ પણ ફાંસો ખાઈ કર્યો આપઘાત કરી લીધો છે. એક જ પરિવારના ત્રણ સભ્યો એક જ ઝાડ પર ફાંસીએ ઝૂલતા દેખાતા ગામ લોકો પણ શોકની લાગણી પ્રસરી હતી. વાંસદા પોલીસને ઘટનાની જાણ થતા જ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. પોલીસે ત્રણેયના મૃતદેહો નીચે ઉતારી પીએમ અર્થે વાંસદા કોટેજ હોસ્પિટલમાં ખસેડ્યા છે.

Published On - 3:08 pm, Wed, 1 September 21

Next Article