
સોશિયલ મીડિયામાં એક ખબર વાયરલ થઈ રહી છે કે કોંગ્રેસ પાર્ટીને ભારતમાંથી ફરાર થઈ ગયેલાં નીરવ મોદીએ 98 કરોડ રુપિયા આપ્યા છે. આ રુપિયાનો ચેક પણ વાયરલ થયો છે. આ બાબતની વાયરલ થઈ રહેલી બધી પોસ્ટમાં આવું કંઈક લખવામાં આવી રહ્યું છે. ‘મેં એકલા નથી ખાધા, બધાને હિસ્સો આપ્યો છે. મારો તો ખાલી 32 ટકા જ હિસ્સો છે બાકી હિસ્સો તો કોગ્રેસના નેતાઓનો છે.’
વિવિધ સોશિયલ મીડિયા ગ્રુપમાં આ ખબર વાયરલ થઈ રહી છે. 98 કરોડ શા માટે કોંગ્રેસ પાર્ટીને આપવામાં આવ્યા તેને લઈને પણ સવાલો લોકો સોશિયલ મીડિયામાં પૂછી રહ્યાં છે.
આ પણ વાંચો: આ કારણે રાજ્યની 6 કોલેજ થશે બંધ, GTU પાસે કોલેજ બંધ કરવાની માગી પરવાનગી
એક ચેકનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ચેક ઈન્ડિયન નેશનલ કોંગ્રેસના નામે બનાવવામાં આવ્યો છે. તેમાં ખાતા નંબર પણ સરળતાથી દેખાઈ રહ્યો છે. આ ચેક નીરવ મોદીએ સાઈન કર્યો હોય તેવું પણ જણાઈ રહ્યું છે.
શું છે સાચી હકીકત?
આ ખબર ખોટી છે અને અમુક લોકો દ્વારા રાજકીય રીતે લાભ લેવા માટે ફેલાવવામાં આવી રહી છે. ડિજીટલ જમાનો છે અને જો તમે ચેક પરની ડિટેલ્સ નાખો તરત જ નામ આવી જાય. જે વ્યક્તિનું નામ બહાર આવી રહ્યું છે તે કોઈ અસમના રહેવાસી ક્રિષ્ના છે. આમ આ ચેંક કોંગ્રેસનો નથી કે ભાજપનો નથી કે નીરવ મોદીનો પણ નથી. આમ આ ખબર વાયરલ છે પણ રિયલ નથી.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]