
ભારત રત્ન સચિન તેંડુલકરના કોચ રમાકાંત અચરેકરના અંતિમ સંસ્કાર મુંબઈના શિવાજી પાર્કમાં થયા જેમાં સચિન તેંડુલકર, વિનોદ કાંબલી, મુંબઈના મેયર વિશ્વનાથ મહાડેશ્વર સહીત અનેક લોકોએ હાજરી આપી.
અંતિમ યાત્રા દરમિયાન યુવા ક્રિકેટરોએ અચરેકરને બેટથી સલામી આપી હતી.
કોચ રમાકાંત અચરેકરના અંતિમ સંસ્કાર દરમિયાન સચિન ભાવુક થઇ ગયો હતો.
સચિને રમાકાંત અચરેકર પાસેથી ક્રિકેટની ટ્રેનિંગ લીધી હતી. અચરેકરે વિનોદ કાંબલી અજિત અગરકર, ચંદ્રકાન્ત પંડિત સહીત અનેક દિગ્ગ્જ્જોને ટ્રેનિંગ આપી છે.
Published On - 8:19 am, Thu, 3 January 19