CM RUPANI LIVE -મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા શ્રમ અને રોજગાર વિભાગની વિવિધ યોજનાનું લોકાર્પણ કર્યું હતું તેમણે જણાવ્યું હતું કે યુવાનોને રોજગારી મળી રહે તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ લક્ષ્યાંક સાથે જ વિવિધ યોજનાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.
કેરેવાન માટે મૂડીરોકાણના 15 ટકા રાહત આપવામાં આવશે. નવી પ્રવાસન નિતી અંગેની જાહેરાત કરતા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે, આપણે કેરેવાન નવી શરૂ કરી રહ્યાં છીએ. જેમ વિદેશમાં એક જ વાનમાં હરવા ફરવા અને જમવા માટેની સુવિધા હોય છે તેવી જ સુવિધા વાળી કેરેવાન બનાવનારને મૂડીરોકાણના 15 ટકા આપવામા આવશે. એમ્યુઝમેન્ટ પાર્કમાં રૂપિયા 500 કરોડનુ મૂડીરોકાણ કરે તેને જ લીઝ ઉપર જમીન અપાશે બીજાને લીઝ ઉપર જમીન નહી અપાય.
મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા વર્ષ 2021 થી 2025 સુધીની પ્રવાસન નીતિ જાહેર કરવામાં આવી. તેમણે જણાવ્યું કે તાજમહેલ કરતા પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વદારે આવી રહ્યા છે. 31 માર્ચ 2025 સુધી નવી પ્રવાસન નીતિ જાહેર કરવામાં આવી.
Published On - 12:14 pm, Tue, 12 January 21