
તાજેતરમાં, બેંગલુરુમાં રહેતા 34 વર્ષીય એન્જિનિયર અતુલ સુભાષે આત્મહત્યા કરી હતી. આત્મહત્યા કરતા પહેલા તેણે 90 મિનિટનો વીડિયો બનાવ્યો અને એક લાંબી સુસાઈડ નોટ લખી હતી. જેમાં અતુલે જણાવ્યું કે તે તેના બાળક માટે દર મહિને 40 હજાર રૂપિયા આપે છે, પરંતુ તેની પત્ની દર મહિને બે લાખ માંગતી હતી. પત્ની પોતે પણ નોકરી કરે છે. સમાધાન કરવા માટે અતુલ પાસેથી કથિત રીતે 3 કરોડ રૂપિયાની માંગ કરવામાં આવી હતી. ત્યારે આ બધાથી કંટાળીને અતુલે આત્મહત્યા કરી લીધી હતી. આપણા સમાજમાં માત્ર અતુલ જ નહીં, પરંતુ આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં મહિલાઓના આરોપોથી પરેશાન થઈને પુરુષોએ આત્મહત્યા કરી લીધી છે. મહિલાઓની સમસ્યાઓ માટે અનેક કાયદાઓ બન્યા છે, મહિલા આયોગની રચના પણ કરવામાં આવી છે, પરંતુ શું પુરુષોની સમસ્યા સાંભળવા માટે આવો કોઈ આયોગ છે ? મહિલા આયોગ ભારતમાં મહિલાઓની સમસ્યાઓના ઉકેલવા માટે રાષ્ટ્રીય મહિલા આયોગ છે. મહિલા આયોગ એ મહિલાઓના અધિકારો અને તેમના સશક્તિકરણના રક્ષણ માટે સ્થાપિત એક મહત્વપૂર્ણ સંસ્થા છે....