શાંત ઘાટીમાં ફરીથી આતંકવાદ ફેલાવવા PAK કરી શકે છે નાપાક હરકત, જાણીને ચોંકી જશો આપ

|

Feb 22, 2021 | 6:40 PM

કાશ્મીર અને ઘાટીમાં કાર્યરત PAKના આતંકવાદ સામે ભારતે કડક વલણ અપનાવ્યું છે. આને કારણે ખીણમાં આતંકવાદી પ્રવૃતિઓમાં (Terrorist Activity) ઘટાડો થયો છે.

શાંત ઘાટીમાં ફરીથી આતંકવાદ ફેલાવવા PAK કરી શકે છે નાપાક હરકત, જાણીને ચોંકી જશો આપ

Follow us on

PAK Terrorism: કાશ્મીર અને ઘાટીમાં કાર્યરત PAKના આતંકવાદ સામે ભારતે કડક વલણ અપનાવ્યું છે. આને કારણે ખીણમાં આતંકવાદી પ્રવૃતિઓમાં (Terrorist Activity) ઘટાડો થયો છે. પાકિસ્તાન ખીણમાં ફરી આતંકવાદ ફેલાવવા માટે અધીરા અને બેચેન છે. જેમ વાંદરો ગુલાટ ન ભૂલે તેમ નાપાક પાકિસ્તાન પણ પોતાના મેલ મનસૂબા છોડતું નથી. તેમણે નવી વ્યૂહરચના પર કામ કરવાનું શરૂ કર્યું છે. પાકિસ્તાન હવે આતંકવાદી કૃત્યો માટે શ્રીલંકાની જમીનનો ઉપયોગ કરવાની તૈયારીમાં છે. 22 જાન્યુઆરીથી પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની કોલંબોની બે દિવસીય મુલાકાત દરમિયાન પાકિસ્તાન કોઈ નવી યુક્તિ અજમાવી શકે છે.

 

પાકિસ્તાન શ્રીલંકા સાથે ભારત વિરુદ્ધ ડીલ કરી શકે છે

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
  • એક જાણકાર વ્યક્તિએ કહ્યું કે પાકિસ્તાનની આંતરિક પરિસ્થિતિમાં ઈમરાન ખાન પાસે ઘણા મર્યાદિત વિકલ્પો છે. પ્રથમ-પાકિસ્તાન સંપૂર્ણ નાદાર છે. પાકિસ્તાનની આર્થિક વ્યવસ્થા સંપૂર્ણ નાશ પામી છે. દેશમાં ફુગાવો ટોચ પર છે.
  • બીજું, ઈમરાન સરકાર વિરુદ્ધ આખો વિપક્ષ એક થઈ ગયો છે. આવી સ્થિતિમાં ઈમરાન વિપક્ષ અને દેશના લોકોના મનને ભટકાવવા માટે આ યોજના પર કામ કરી શકે છે. સરહદ પર જાગરૂકતા હોવાને કારણે પાકિસ્તાનમાં કાર્યરત આતંકીઓ રોષે ભરાયા છે. તેમણે આશંકા વ્યક્ત કરી કે પાકિસ્તાન આ માટે શ્રીલંકાને રક્ષણ આપી શકે છે.
  • પાકિસ્તાન જિનીવામાં યોજાનારા સંયુક્ત રાષ્ટ્રની માનવ અધિકાર સમિતિ (UNHRC)ના 46માં અધિવેશનમાં આની પહેલ કરી શકે છે. તે આ સિઝનમાં શ્રીલંકા સાથે ડીલ પર હસ્તાક્ષર કરી શકે છે. હકીકતમાં આ સત્રમાં શ્રીલંકાથી સંબંધિત એક પ્રસ્તાવ UNHRCમાં લાવી શકાય છે. શ્રીલંકાના માનવાધિકાર અને સંબંધિત જવાબદારીના રેકોર્ડની તપાસ UNHRC સત્રમાં કરવામાં આવશે.
  • શ્રીલંકાની મુલાકાત દરમિયાન ઈમરાન કોલંબોને પ્રસ્તાવ આપી શકે છે કે જો તે તેની જમીન ભારત સામે વાપરવાની મંજૂરી આપે તો પાકિસ્તાન UNHRCમાં તેમનો પક્ષ લેશે. તેમણે કહ્યું કે આ પ્રકારનું પગલું પાકિસ્તાન કરી શકે છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાન ઈમરાન ઘરેલું રાજકીય સંકટથી ધ્યાન હટાવવા માટે શ્રીલંકાની મુલાકાતે છે. પાકિસ્તાનમાં વિરોધી ગઠબંધને ઈમરાન સરકાર સામે મોરચો ખોલ્યો છે.

 

કાશ્મીરની ખીણમાં છેલ્લા 29 વર્ષમાં લગભગ 46 હજાર લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો

નોંધપાત્ર વાત એ છે કે કાશ્મીરની ખીણમાં છેલ્લા 29 વર્ષમાં લગભગ 46 હજાર લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મૃતકોમાં નાગરિકો અને આતંકવાદી બંનેનો સમાવેશ છે. માર્યા ગયેલા આતંકીઓની મહત્તમ સંખ્યા સરહદ પર માર્યા ગયેલા લોકો છે. સુરક્ષા દળો સાથેના વિવિધ એન્કાઉન્ટરમાં અત્યાર સુધી 24,000 આતંકવાદીઓ માર્યા ગયા છે. માર્યા ગયેલા 24,000 આતંકીઓમાં લગભગ 11,000 વિદેશી આતંકીઓનો સમાવેશ છે.

 

આ પણ વાંચો: Gujarat : મુખ્ય સચિવ અનિલ મુકિમને 6 માસનું એક્સ્ટેંશન, 28 ફેબ્રુઆરીએ થવાના હતા નિવૃત

Next Article