કોણ છે પાયલોટ નચિકેતા અને તે કેવી રીતે 1999ના કારગીલ યુદ્ધમાં પાકિસ્તાની આર્મીના હાથે પકડાઈ જવા છતાં સલામત રીતે ભારત પાછા આવ્યા!

|

Feb 27, 2019 | 1:23 PM

પાકિસ્તાન હાલ પોતાના સોશિયલ મીડિયામાં ભારતનો એક પાયલોટ પકડાયો તેવો દાવો કરી રહ્યું છે. ભૂતકાળમાં પણ ભારતના એક પાયલોટને પાકિસ્તાનની ધરતી પર ઉતરવું પડ્યું હતું. 20 વર્ષ પહેલાં પાકિસ્તાન અને ભારત વચ્ચે કારગીલ યુદ્ધ થયું હતું.  ભારતીય વાયુસેના અને પાકિસ્તાની વાયુસેના એકબીજા પર પોતાના લક્ષ્યાંકો રાખીને હુમલો કરી રહી હતી. તે દરમિયાન ભારતીય વાયુસેનાના એક પાયલોટ નચિકેતાએ […]

કોણ છે પાયલોટ નચિકેતા અને તે કેવી રીતે 1999ના કારગીલ યુદ્ધમાં પાકિસ્તાની આર્મીના હાથે પકડાઈ જવા છતાં સલામત રીતે ભારત પાછા આવ્યા!

Follow us on

પાકિસ્તાન હાલ પોતાના સોશિયલ મીડિયામાં ભારતનો એક પાયલોટ પકડાયો તેવો દાવો કરી રહ્યું છે. ભૂતકાળમાં પણ ભારતના એક પાયલોટને પાકિસ્તાનની ધરતી પર ઉતરવું પડ્યું હતું.

20 વર્ષ પહેલાં પાકિસ્તાન અને ભારત વચ્ચે કારગીલ યુદ્ધ થયું હતું.  ભારતીય વાયુસેના અને પાકિસ્તાની વાયુસેના એકબીજા પર પોતાના લક્ષ્યાંકો રાખીને હુમલો કરી રહી હતી. તે દરમિયાન ભારતીય વાયુસેનાના એક પાયલોટ નચિકેતાએ પણ ભારતમાંથી પાકિસ્તાનમાં એર-હુમલો કરવા માટે એક ઉડાન ભરી. પાકિસ્તાનના અનેક ઠેકાણાને તબાહ કરતાં કરતાં નચિકેતા પાકિસ્તાનની ધરતી પર ઉડી રહ્યાં હતા.

ભારતીય વાયુસેના તરફથી કારગીલ યુદ્ધમાં ઓપરેશન સફેદ સાગર ચલાવવામાં આવી રહ્યું હતું. પાયલોટ નચિકેતાએ પણ આ ઓપરેશન હેઠળ જ પોતાની ઉડાન ભારતીય વાયુસેનાના વિમાન મીગ-27 સાથે ભરી હતી. આ વખતે નચિકેતાની ઉંમર 26 વર્ષની હતી. અચાનક જ પાકિસ્તાના આકાશ પર મીગ-27 વિમાનનનું એન્જિન હવામાં જ બગડ્યું અને વિમાનમાં આગ લાગી ગયી. નચિકેતાને નાછૂટકે પાકિસ્તાનની ધરતી પર ઉતરવું પડ્યું.

જ્યારે નચિકેતા પાકિસ્તાનની ધરતી પર ઉતર્યા ત્યારે પાકિસ્તાનની સેના દ્વારા તેની ધરપકડ કરી લેવામાં આવી. ભારતનો પ્લાન શું છે વગેર માહિતી કઢાવવા માટે તેને માર મારવામાં આવ્યો અને માનસિક સાથે શારીરિક યાતનાઓ નચિકેતાને આપવામાં આવી. નચિકેતાએ પોતાના મોઢામાંથી એક શબ્દ પણ ઉચ્ચાર્યો નહીં.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

TV9 Gujarati

 

ભારત તરફથી પાકિસ્તાન પર દબાણ સતત લાદવામાં આવી રહ્યું હતું. આંતરરાષ્ટ્રીય દબાણથી પાકિસ્તાને ભારતીય પાયલોટ નચિકેતાને આંતરરાષ્ટ્રીય કમીટી ઓફ રેડ ક્રોસને સોંપી દેવામાં આવ્યા. બાદમાં નચિકેતાને વાઘા બોર્ડરથી ભારત લાવવામાં આવ્યા હતા. નચિકેતા ભારત આવ્યા ત્યારે તેનું સ્વાગત જોર-શોરથી કરવામાં આવ્યું હતું.

[yop_poll id=1854]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article