ફ્રાન્સમાં બનાવવામાં આવી રહેલો નવો કાયદો, સમાજની બદલાઈ રહેલી માનસિકતાનું પ્રતીક

|

Feb 19, 2021 | 4:56 PM

ફ્રાન્સમાં એક નવો કાયદો બનાવવામાં આવ્યો છે. જેની ચર્ચાઓએ ખુબ જોર પકડ્યું છે. આ કાયદાને ફ્રેન્ચ સમાજની બદલાતી માનસિકતાનું પ્રતીક ગણાવવામાં આવી રહ્યો છે.

ફ્રાન્સમાં બનાવવામાં આવી રહેલો નવો કાયદો, સમાજની બદલાઈ રહેલી માનસિકતાનું પ્રતીક
Emmanuel Macron

Follow us on

તાજેતરમાં ફ્રાન્સમાં એક નવો કાયદો બનાવવામાં આવી રહ્યો છે. જે સર્વત્ર ચર્ચાનું કારણ બન્યો છે. જો કે ફ્રાન્સના નીચલા ગૃહમાં આ કાયદાને લગતું એક બિલ પસાર કરવામાં આવ્યું હતું. ઉપલા ગૃહમાં પસાર થવામાં હજી એક મહિનો બાકી છે. પરંતુ આ પહેલ ફ્રેન્ચ સમાજની બદલાતી માનસિકતાનું પ્રતીક છે. બિલમાં ફ્રાન્સની ધર્મનિરપેક્ષતા, ઉદારતા, સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વ જેવા ફ્રેન્ચ ક્રાંતિના મૂલ્યોને બચાવવા અંગે ચર્ચા કરવામાં આવી છે. આ સાથે અરબી દેશોમાં મસ્જિદના ઇમામોની તાલીમ આપવા, મસ્જિદો અને મદરેસાઓમાં નાના બાળકોને ધાર્મિક શિક્ષણ આપવા અંગે વાંધા જતાવવામાં આવ્યો છે.

એમ કહેવામાં આવી રહ્યું છે કે અભ્યાસ માટે મસ્જિદો કરતા શાળાઓને પ્રાધાન્ય આપો. ઇન્ટરનેટ પર મૌલાનાના સંદેશાને બંધ કરીને તેના પર પ્રતિબંધ મૂકવાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. મુસ્લિમો દ્વારા એકથી વધુ લગ્નો પર પ્રતિબંધ મૂકવા, બળજબરીથી લગ્ન કરવા, લગ્ન પહેલાની કુંવારી તપાસવી, ધાર્મિક સંસ્થાઓ વગેરે પર પ્રતિબંધિત કરવા જેવી ઘણી જોગવાઈઓ કરવામાં આવી છે. આમાં ફ્રેન્ચ પોલીસને મસ્જિદો અને મદ્રેસાઓની દેખરેખ રાખવાનો અથવા જરૂરી હોય તો તેને બંધ કરવાની પહેલ કરવાનો અધિકાર રહેશે.

ફ્રાન્સના રાષ્ટ્રપતિનું શું છે કહેવું

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૈન્યુઅલ મેક્રોન લાંબા સમયથી ફ્રાન્સની ઉદાર ઉદ્યોગસાહસિક પરંપરાઓને બચાવવા વિશે વાત કરી રહ્યા છે. માનવામાં આવે છે કે આ કાયદો તે દિશામાં એક મજબૂત પહેલ છે. જોકે કેટલાક વિરોધી પક્ષો તેને નવો રાજકીય સ્ટંટ ગણાવી રહ્યા છે. તે કહી રહ્યા છે કે આ રીતે મેક્રોન આગામી ચૂંટણીમાં ફ્રેન્ચ લોકોનો ટેકો મેળવવા માંગે છે. વિરોધી પક્ષો એમ પણ કહી રહ્યા છે કે કેટલાક લોકોના ખોટા કામ માટે સમગ્ર સમુદાયને દોષી ઠેરવવો અન્યાય છે.

ભારતની પ્રતિક્રિયા

ફ્રાન્સમાં બનેલા આ નવા કાયદા અંગે ભારત સરકારે હજી સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી. પરંતુ જેહાદી અને આતંકવાદથી ભારતીય મૂલ્યોને જોખમ છે. ઘણા વિચારકોએ સ્વીકાર્યું છે કે મિશ્ર સંસ્કૃતિ, ધર્મનિરપેક્ષતા, સહઅસ્તિત્વ, જેવી વર્તમાનની અવધારણા સાથે જેહાદી વિચારધારા તાલમેલ નથી મેળવી શકતી.

મુસ્લીમ વિદ્વાનો માને છે ધાર્મિક તાલીમની હવે જરૂર નથી

જો કે ફ્રાન્સમાં નવો કાયદો લાગુ થવાની સાથે તે બધા લોકોને થોડી ઘણી તકલીફનો સામનો કરવો પડી શકે છે. જેઓ રોજિંદા કાર્યમાં વૈચારિક ગડબડમાં પડ્યા વગર ગૌરવપૂર્ણ જીવન જીવવા ઇચ્છે છે. ઘણા મુસ્લિમ વિદ્વાનો માને છે કે ધર્મ ભૂતકાળની વસ્તુ બની ગઈ છે. આજે કોઈ જરૂર નથી, અથવા સંકુચિતતાની પણ જરૂર નથી. કેટલાક લોકો યુવાઓને તેની આડમાં સમાજમાં સર્વોપરિતા સ્થાપિત કરવા માટે ગેરમાર્ગે દોરી રહ્યા છે. આશા છે કે ફ્રાંસનું આ પગલું તેને બંધ કરશે. અને દુનિયાને રાહત મળશે.

Published On - 4:51 pm, Fri, 19 February 21

Next Article