Sri Lanka Crisis: શ્રીલંકામાં ચાલી રહેલી કટોકટી વચ્ચે રાનિલ વિક્રમસિંઘે 8મા રાષ્ટ્રપતિ તરીકે લીધા શપથ, ગોટબાયાના ભાગી જવાને કારણે ખાલી હતું આ પદ

|

Jul 21, 2022 | 1:44 PM

પીઢ નેતા રાનિલ વિક્રમસિંઘે ગુરુવારે શ્રીલંકાના આઠમા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. મુખ્ય ન્યાયાધીશ જયંતા જયસૂર્યાએ સંસદ ભવન સંકુલમાં 73 વર્ષીય વિક્રમસિંઘેને પદના શપથ લેવડાવ્યા હતા.

Sri Lanka Crisis: શ્રીલંકામાં ચાલી રહેલી કટોકટી વચ્ચે રાનિલ વિક્રમસિંઘે 8મા રાષ્ટ્રપતિ તરીકે લીધા શપથ, ગોટબાયાના ભાગી જવાને કારણે ખાલી હતું આ પદ
Ranil Wickremesinghe

Follow us on

પીઢ નેતા રાનિલ વિક્રમસિંઘે (Ranil Wickremesinghe) ગુરુવારે શ્રીલંકાના આઠમા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. મુખ્ય ન્યાયાધીશ જયંતા જયસૂર્યાએ સંસદ ભવન સંકુલમાં 73 વર્ષીય વિક્રમસિંઘેને પદના શપથ લેવડાવ્યા હતા. ગોટાબાયા રાજપક્ષેએ શ્રીલંકા છોડીને રાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપ્યા બાદ વિક્રમસિંઘેને કાર્યપાલક પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. તેઓ બંધારણ મુજબ સંસદ દ્વારા ચૂંટાયેલા શ્રીલંકાના પ્રથમ રાષ્ટ્રપતિ છે.

મે 1993માં તત્કાલિન રાષ્ટ્રપતિ આર પ્રેમદાસાના મૃત્યુ પછી સ્વર્ગસ્થ ડીબી વિજેતુંગા બિનહરીફ ચૂંટાયા હતા. વિક્રમસિંઘે બુધવારે દેશના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા. આ સાથે, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) સાથે ચાલી રહેલી વાતચીતથી રોકડની તંગીથી ફસાયેલા ટાપુ દેશની અર્થવ્યવસ્થાને પુનર્જીવિત કરવાની અપેક્ષા રાખી શકાય છે.

વિક્રમસિંઘેને 134 વોટ મળ્યા હતા

શ્રીલંકાની 225 સભ્યોની સંસદમાં વિક્રમસિંઘેને 134 મત મળ્યા, જ્યારે તેમના નજીકના હરીફ અને શાસક પક્ષના અસંતુષ્ટ નેતા ડલ્લાસ અલ્હાપેરુમાને 82 મત મળ્યા. ડાબેરી જનતા વિમુક્તિ પેરામુના (JVP)ના નેતા અનુરા કુમારા દિસનાયકેને માત્ર ત્રણ મત મળ્યા. કડક સુરક્ષા વચ્ચે સંસદમાં મતદાન થયું હતું. વિક્રમસિંઘે દેશને આર્થિક મુશ્કેલીમાંથી બહાર લાવવા અને મહિનાઓના વિરોધ પછી કાયદો અને વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા માટે જવાબદાર છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

વિક્રમસિંઘેની જીતથી સ્થિતિ ફરી બગડી શકે છે

રાજપક્ષેની શ્રીલંકા પોદુજાના પેરામુના (SLPP) પાર્ટી દ્વારા સમર્થિત વિક્રમસિંઘેની જીત, સત્તા પર રાજપક્ષે પરિવારની પકડ દર્શાવે છે. જ્યારે ગોટાબાયા રાજપક્ષે ભૂતપૂર્વ વડા પ્રધાન મહિન્દા રાજપક્ષે અને ભૂતપૂર્વ નાણા પ્રધાન બાસિલ રાજપક્ષેએ સરકાર વિરોધી વિરોધને પગલે રાજીનામું આપ્યું છે. વિક્રમસિંઘેની જીત ફરી એકવાર પરિસ્થિતિને વધુ ખરાબ કરી શકે છે કારણ કે, ઘણા સરકાર વિરોધી વિરોધીઓ તેમને અગાઉની રાજપક્ષે સરકારની નજીક માને છે.

વિક્રમસિંઘે, જેઓ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) સાથે મુખ્ય વાટાઘાટોનું નેતૃત્વ કરી રહ્યા છે, તેમણે ગયા અઠવાડિયે કહ્યું હતું કે, વાટાઘાટો નિષ્કર્ષની નજીક છે. શ્રીલંકાને તેની 22 મિલિયન વસ્તીની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવા માટે આગામી મહિનામાં લગભગ $5 બિલિયનની જરૂર છે. વિક્રમસિંઘે હવે ગોટાબાયા રાજપક્ષેના કાર્યકાળના બાકીના સમયગાળા માટે પદ પર રહેશે, જે નવેમ્બર 2024 માં સમાપ્ત થાય છે.

(ઇનપુટ ભાષામાંથી)

Next Article