PNB Scam: કૌભાંડી મેહુલ ચોક્સી સુધી પહોચવા તમામ પુરાવા લઈને પ્રાઈવેટ જેટમાં તપાસ ટીમનાં 8 સભ્ય ડોમિનિકા પહોચ્યા

|

Jun 01, 2021 | 11:13 PM

PNB કૌભાંડ(Scam)ના આરોપ મેહુલ ચોક્સી (Mehul Choksi)ને ભારત લાવવા માટે 8 સભ્યોની ટીમ ડોમિનિકા પહોંચી ગઈ છે. ઇડી, સીબીઆઇ સહિત 2 CRPFના કમાન્ડો આ ટીમમાં સામેલ છે.

PNB કૌભાંડ(Scam)ના આરોપ મેહુલ ચોક્સી (Mehul Choksi)ને ભારત લાવવા માટે 8 સભ્યોની ટીમ ડોમિનિકા પહોંચી ગઈ છે. ઇડી, સીબીઆઇ સહિત 2 CRPFના કમાન્ડો આ ટીમમાં સામેલ છે. મેહુલ ચોક્સી સાથે જોડાયેલા તમામ પુરાવા લઇને ટીમ ડોમિનિકા ગઇ છે.

ટીમ ડોમિનિકા પહોંચ્યા બાદ એન્ટીગના PMએ એ વાતની પુષ્ટી કરી કે ભારતીય અધિકારી પ્રાઇવેટ જેટથી ડોમિનિકા પહોંચ્યા છે. ભારતીય ટીમનો પ્રયાસ છે કે ડોમિનિકાથી જલદી મેહુલ ચોક્સીને પ્રત્યાર્પણ કરી દેશમાં લઇ આવવામાં આવે.

આપને કહી દઇએ કે બેંકિંગ ફ્રોડ મુદ્દે સીબીઆઇ ચીફ શારદા રાઉત આ ટીમનો મુખ્ય ભાગ છે, તેમણે PNB કૌભાંડનની તપાસનું નેતૃત્વ કર્યું છે. શારદા રાઉતનો જન્મ મહારાષ્ટ્રના નાસિકમાં થયો છે, તે 2005ની બેચની IPS અધિકારી છે.

તેમની કામ કરવાની એક અલગ જ સ્ટાઇલ છે. પાલઘરમાં એસપી રહેતા તેમણે ક્રાઇમને રોકવા પર સારી એવી પકડ મેળવી હતી. નાગપુર, મીરા રોડ, નંદુબાર, કોલ્હાપુર, મુંબઈમાં તેમની પોસ્ટિંગ રહી. તેમના કામ પ્રત્યેની તેમની ઇમાનદારી છે તે સરાહનીય છે.

સુત્રો તરફથી એ પણ જાણવા મળ્યું છે કે મુંબઈ ઝોનથી CBI અને EDના અધિકારીઓને શુક્રવારે દિલ્લી બોલાવાયા હતા. ત્યારબાદ ડોમિનિકા માટે ખાનગી જેટમાં સવાર થઇને ટીમ ડોમિનિકા પહોંચી. મહત્વનું છે કે કેરેબિયન કોર્ટે મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણ પર રોક લગાવી હતી, જો કે આ પહેલા એન્ટીગા અને બારબુડાના વડાપ્રધાન ગેસ્ટન બ્રાઉને ડોમિનિકાના અધિકારીઓને કહ્યું હતું કે તેઓ મેહુલ ચોક્સીને ભારતને સોંપી દે. કેમ કે એન્ટીગામાં મેહુલ પાસે વધારે અધિકાર છે.

Published On - 11:12 pm, Tue, 1 June 21

Next Video