અફઘાનિસ્તાનમાં પાકિસ્તાન વિરુદ્ધ લોકો રસ્તા પર ઉતર્યા, NSA મોઈદ યુસુફે ‘ડર’ના કારણે કાબુલની મુલાકાત રદ કરી

|

Jan 19, 2022 | 1:26 PM

NSA Moeed Yusuf: પાકિસ્તાનના NSA મોઈદ યુસુફે તેમનો કાબુલ પ્રવાસ રદ કર્યો છે. કારણ કે અફઘાનિસ્તાનમાં પાકિસ્તાન વિરુદ્ધ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે.

અફઘાનિસ્તાનમાં પાકિસ્તાન વિરુદ્ધ લોકો રસ્તા પર ઉતર્યા, NSA મોઈદ યુસુફે ડરના કારણે કાબુલની મુલાકાત રદ કરી
moeed yusuf ( File photo)

Follow us on

પાકિસ્તાનના સ્પષ્ટ વક્તા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મોઇદ યુસુફે (Pakistani NSA Moeed Yusuf) તેમનો અફઘાનિસ્તાન પ્રવાસ રદ કર્યો છે. આ પાછળનું કારણ એ છે કે, અફઘાનિસ્તાનમાં પાકિસ્તાન વિરુદ્ધ સતત વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. જેના કારણે પાકિસ્તાની NSAએ સુરક્ષાના ડરથી ત્યાંનો પ્રવાસ રદ કર્યો હતો. આ સાથે પાકિસ્તાન વિરૂદ્ધ વિરોધ પ્રદર્શનનું આયોજન કરનાર વ્યક્તિની તાલિબાન દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તાલિબાનની ગુપ્તચર સંસ્થાએ અઝીમ અઝીમી નામના વ્યક્તિની ધરપકડ કરી છે. જે બાદ કાબુલમાં પાકિસ્તાની દૂતાવાસે પુષ્ટિ કરી કે યુસુફ હજુ મુલાકાતે નથી આવી રહ્યા

તાલિબાનોએ આક્ષેપ કર્યો હતો કે માનવાધિકાર કાર્યકર્તા અઝીમ અઝીમીએ મોઇદ યુસુફની મુલાકાત પહેલા પાકિસ્તાન વિરોધી વિરોધનું આયોજન કર્યું હતું. સોશિયલ મીડિયા પર પણ મોટી સંખ્યામાં લોકો અઝીમીનું સમર્થન કરી રહ્યા છે. લોકોનો સવાલ એ છે કે અઝીમી પાકિસ્તાની-તાલિબાની આતંકથી પરેશાન થઈને અફઘાનિસ્તાનની સામાન્ય જનતા સામે દેખાવોનું આયોજન કરી રહી છે. તો તાલિબાન શા માટે તેનાથી આટલા ડરે છે?

તાલિબાને અઝીમીને ગાયબ કરી દીધા

સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સ દાવો કરી રહ્યા છે કે અઝીમીની તાલિબાન દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને તેને કોઈ અજાણ્યા સ્થળે લઈ જવામાં આવી છે. લોકો અઝીમીને બચાવવા સતત અપીલ કરી રહ્યા છે. વિશ્વને તાલિબાનના અત્યાચારોનું નિવારણ કરવા પણ કહે છે. અગાઉ એવા અહેવાલ હતા કે પાકિસ્તાની NSA મોઇદ યુસુફના નેતૃત્વમાં એક આંતર-મંત્રાલય પ્રતિનિધિમંડળ મંગળવારે તાલિબાન સાથે સરહદ વાડના વિવાદ પર ચર્ચા કરશે. આ સાથે જ આ યુદ્ધગ્રસ્ત દેશને માનવતાવાદી મદદ પણ આપશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

સંયુક્ત રાષ્ટ્ર ચિંતા વ્યક્ત કરે છે.

પાકિસ્તાની મીડિયાએ આ અંગે માહિતી આપી હતી. અહેવાલો અનુસાર, પાકિસ્તાની અધિકારીઓએ કહ્યું હતું કે યુસુફ 18 અને 19 તારીખે કાબુલની મુલાકાત લેશે. જે દરમિયાન તે અફઘાનિસ્તાનમાં માનવતાવાદી સહાય પૂરી પાડવાના માર્ગો વિશે વાત કરશે. કારણ કે દેશ પર વૈશ્વિક પ્રતિબંધોને કારણે માનવીય સંકટ વધુ ઊંડું બન્યું છે. સંયુક્ત રાષ્ટ્રએ પણ આ સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે. યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે 13 જાન્યુઆરીએ કહ્યું હતું કે અફઘાનિસ્તાનમાં લાખો લોકો “મૃત્યુના આરે ઉભા છે”.

Next Article