VIDEO: ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલતી સમજોતા એક્સપ્રેસ પાકિસ્તાને કરી રદ્દ, અટારી સ્ટેશન પર અટવાયા 42 મુસાફરો

|

Feb 28, 2019 | 10:02 AM

ગભરાયેલું અને ડરેલું પાકિસ્તાન હવે હવાતિયા મારી રહ્યું છે. ગઈ કાલથી પાકિસ્તાને ઘણી ફ્લાઈટ્સ રદ્દ કરી દીધી છે. તો ભારત પાકિસ્તાન વચ્ચે ચાલતી સમજોતા એક્સપ્રેસ પણ રદ્દ કરી દીધી છે. કોઈનાથી હવે છૂપું નથી રહ્યું કે ભારત પાકિસ્તાન વચ્ચેનો સંબંધ વણસી રહ્યો છે. પાકિસ્તાને સમજોતા એક્સપ્રેસ રદ્દ કરી દીધી છે. જેના કારણે કેટલાક મુસાફરો અટારી […]

VIDEO: ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલતી સમજોતા એક્સપ્રેસ પાકિસ્તાને કરી રદ્દ, અટારી સ્ટેશન પર અટવાયા 42 મુસાફરો

Follow us on

ગભરાયેલું અને ડરેલું પાકિસ્તાન હવે હવાતિયા મારી રહ્યું છે. ગઈ કાલથી પાકિસ્તાને ઘણી ફ્લાઈટ્સ રદ્દ કરી દીધી છે. તો ભારત પાકિસ્તાન વચ્ચે ચાલતી સમજોતા એક્સપ્રેસ પણ રદ્દ કરી દીધી છે.

કોઈનાથી હવે છૂપું નથી રહ્યું કે ભારત પાકિસ્તાન વચ્ચેનો સંબંધ વણસી રહ્યો છે. પાકિસ્તાને સમજોતા એક્સપ્રેસ રદ્દ કરી દીધી છે. જેના કારણે કેટલાક મુસાફરો અટારી સ્ટેશન પર જ અટવાઈ પડ્યા છે. આશરે 42 જેટલા મુસાફરો હવે અટવાયા છે જેમાંથી 40 પાકિસ્તાની છે અને 2 મુસાફરો ભારતીય છે. ભારત તરફથી તો સમજોતા એક્સપ્રેસ દિલ્હીથી અટારી સ્ટેશન આવી પહોંચી પરંતુ પાકિસ્તાન તરફથી 16 મુસાફરોને લઈને સમજોતા એક્સપ્રેસ આવવાની હતી તેને પાકિસ્તાન તરફથી રદ્દ કરાતા હવે કુલ 58 મુસાફરોને અટવાવાનો વારો આવ્યો છે.

VIDEO:

મહત્ત્વનું છે કે પાકિસ્તાનની નાપાક હરકતોનો જડબાતોડ જવાબ આપવા માટે ભારતે તૈયારી કરી લીધી છે. ભારત સરકાર સમજોતા એક્સપ્રેસ ટ્રેનને બંધ કરવા વિચાર કરી રહી હતી પરંતુ પાકિસ્તાને સમજોતા એક્સપ્રેસને આજે રોકી દીધી છે. સવારે 8.45 કલાકે અટારી રેલવે સ્ટેશન પર આ મેસેજ આપવામાં મળ્યો હતો.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

ભારત અને લાહોર વચ્ચે આ ટ્રેન હાલ દોડે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલતી એક માત્ર ટ્રેન સમજોતા એક્સપ્રેસ ઉપર પણ હવે સંકટના વાદળો ઘેરાયા છે. આ ટ્રેન સપ્તાહમાં બે દિવસ દિલ્હીથી અટારી થઈને લાહોર જાય છે. વર્ષ ૧૯૭૬માં આ ટ્રેન શરૂ થઈ હતી.

જોકે હવે અટવાયેલા 42 મુસાફરોને અહીંથી મોકલવા માટેના અન્ય વિકલ્પો પર હાલ રેલવે ટીમ વિચારણા કરી રહી છે. ઈમિગ્રેશન ઓફિસર્સ પણ હાલ અટારી રેલવે સ્ટેશન પર હાજર છે અને આ મુસાફરોને બાય રોડ પાકિસ્તાન મોકલવાના વિકલ્પો તપાસી રહી છે.

આ પહેલા જ્યારે સંસદ પર હુમલો થયો હતો ત્યારે સમજોતા એક્સપ્રેસ રદ્દ કરવામાં આવી હતી. ત્યારબાદ ભારત-પાકિસ્તાન વચ્ચે ગમે તેટલા તણાવની સ્થિતિ હોય પરંતુ આવો નિર્ણય નહોતો લેવાયો.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article