પુલવામામાં હુમલાને લઈને ભારતના કડક વલણ અને મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કર્યા બાદ ભારત અને પાકિસ્તાનના સંબંધો વણસ્યા છે. પાકિસ્તાને ચૂંટણીનું બહાનું ધરીને પાકિસ્તાનનો એર-સ્પેસ ભારત માટે બંધ કરી દીધો છે.
પાકિસ્તાને પોતાનો એર-સ્પેસ ભારતના વિમાનો માટે 30 મે સુધી બંધ રાખવાની જાહેરાત કરી છે. બુધવારના રોજ કરાયેલી આ ધોષણા પાછળ ભારતમાં થઈ રહેલી ચૂંટણી માનવામાં આવી રહી છે. ભારતે પાકિસ્તાનના બાલાકોટમાં એર-સ્ટ્રાઈક કરી હતી ત્યારબાદ પાકિસ્તાને ભારત માટે પોતાનો એર-સ્પેસ બંધ કરી દીધો હતો. 27 માર્ચે સ્થિતિ સુધરતા ફરીથી પાકિસ્તાને આ એર-સ્પેસને ભારતના વિમાનો માટે ખોલી દીધો હતો.
બુધવારના રોજ પાકિસ્તાનના અધિકારીઓ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો કે પાકિસ્તાન એર-સ્પેસ ભારતના વિમાનો માટે 30મે સુધી બંધ રાખવામાં આવશે. આ મામલે વિવિધ વિમાન કંપનીઓ અને તેના પાયલટોને નિર્દેશો પણ આપવામાં આવ્યા છે. પાકિસ્તાને કહ્યું કે તમામ વિમાન કંપનીઓ અને પાયલટોએ આ આદેશનું પાલન કરવાનું રહેશે. અધિકારીઓએ કહ્યું કે આ એર-સ્પેસ ખોલવાના અંગે 30મેના રોજ નિર્ણય લેવામાં આવશે.
આમ પાકિસ્તાનેે ભારતના વિમાનો સરળતાથી વિદેશોમાં મુસાફરી ન કરી શકે તેવા ઉદ્દેશ્યો સાથે એર-સ્પેસને બંધ કરી દીધો છે. લાગી રહ્યું છે ચૂંટણી પત્યા પછી જ આ એર-સ્પેસને પાછો ખોલવામાં આવશે અને બાદમાં ભારતીય વિમાનો પાકિસ્તાનના એર-સ્પેસમાંથી પસાર થઈ શકશે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]