પાકિસ્તાનની વધુ એક અવળચંડાઈ: દુનિયાને ગુમરાહ કરવા માટે ભારત વિરૂદ્ધ છેડ્યું ‘Fake News’ અભિયાન

|

Feb 27, 2019 | 10:09 AM

પાકિસ્તાની સેનાના અધિકારી મેજર જનરલ આસિફ ગફૂરે સવારે એક ટ્વીટ કરીને પ્રૉપગેંડા ફેલાવ્યો છે તે પાકિસ્તાની વાયુસેનાએ 2 ભારતીય વિમાનોને તોડી પાડ્યા છે. જ્યારે કે હકીકત તો એ છે કે ઉલ્ટાનું પાકિસ્તાની વાયુસેનાએ F-16 વિમાનને તોડી પાડ્યું છે જ્યારે કે એક વિમાન ભારતીય વાયુસેનાની કાર્યાવાહી બાદ ભાગી ગયું છે. ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં ઘૂસીને જૈશના […]

પાકિસ્તાનની વધુ એક અવળચંડાઈ: દુનિયાને ગુમરાહ કરવા માટે ભારત વિરૂદ્ધ છેડ્યું Fake News અભિયાન

Follow us on

પાકિસ્તાની સેનાના અધિકારી મેજર જનરલ આસિફ ગફૂરે સવારે એક ટ્વીટ કરીને પ્રૉપગેંડા ફેલાવ્યો છે તે પાકિસ્તાની વાયુસેનાએ 2 ભારતીય વિમાનોને તોડી પાડ્યા છે.

જ્યારે કે હકીકત તો એ છે કે ઉલ્ટાનું પાકિસ્તાની વાયુસેનાએ F-16 વિમાનને તોડી પાડ્યું છે જ્યારે કે એક વિમાન ભારતીય વાયુસેનાની કાર્યાવાહી બાદ ભાગી ગયું છે.

ક્રેશ થયેલા પ્લેનનો જૂનો ફોટો જે આજનો હોવાનું કહીને પાકિસ્તાન શેર કરી રહ્યું છે

ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં ઘૂસીને જૈશના આતંકી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કર્યા બાદ પાકિસ્તાની સેના અને મીડિયા ફેક વૉરમાં લાગી ગયું છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

સેના અને દેશનું મનોબળ વધારવા માટે પાકિસ્તાન તરફથી વધારીને દાવાઓ કરાઈ રહ્યાં છે. બુધવારે પાકિસ્તાના બે એફ-16 વિમાનોએ ભારતમાં ઘૂષણખોરી કરી તો ખરી, પરંતુ ભારતે પીછો કરીને પાકિસ્તાનના એક લડાકૂ વિમાનને તોડી પડાયું.

આ ઘટનાની પાકિસ્તાની ચેનલો અને સેનાએ  બીજા જ દ્રશ્યો રજૂ કર્યા છે. પાકિસ્તાની મીડિયાએ કેટલાક ફોટો અને વીડિયોઝના ફૂટેજ બતાવીને એવો દાવો કરવાનો શરૂ કરી દીધો છે કે તેમની સેનાએ ભારતનું વિમાન તોડી પડાયું. જોકે પાકિસ્તાનની આ પોલ થોડી જ વારમાં ખૂલી ગઈ. જે ફૂટેજ પાકિસ્તાની મીડિયામાં બતાવાઈ રહ્યું છે તે ખરેખર તો 2016માં જોધપુરમાં એક મિગ-27 ક્રેશ કર્યું હતું.

સાથે જ પાકિસ્તાની સેના એવો પણ દાવો કરવા લાગી કે તેણે 2 ભારતીય વિમાનોને તોડી પાડ્યા જ્યારે કે હકીકત તો એ છે કે બડગામમાં એક MI હેલિકોપ્ટર ક્રેશ થયું છે. પાકિસ્તાનના 2 એફ-16 લડાયક વિમાનોએ નૌશેરામાં ભારતીય વાયુસીમામાં પ્રવેશ કર્યો જ્યારે કે MI 17 હેલિકોપ્ટર બડગામના ગારેંદ કલા ગામમાં દુર્ઘટના ગ્રસ્ત થયું જે નૌશેરાથી 200  કિલોમીટર દૂર છે.

પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે સવારે ટ્વીટ કર્યું અને શરૂ થઈ ગયું પાકિસ્તાનનું ફેક ન્યૂઝ ફેલવવાનું અભિયાન.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article