પુલવામા આતંકી હુમલા પર શું બોલ્યો મસૂદ અઝહર ? AUDIO જાહેર કરી પહેલી વાર આપી પ્રતિક્રિયા અને ચલાવ્યું જુઠ્ઠાણું

|

Feb 21, 2019 | 5:27 AM

પુલવામા આતંકી હુમલાના લગભગ એક અઠવાડિયા બાદ આતંકવાદી મૌલાના મસૂદ અઝહરે એક નવો ઑડિયો જાહેર કર્યો છે. TV9 Gujarati   Web Stories View more પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ! આજનું રાશિફળ તારીખ : 02-05-2024 હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો […]

પુલવામા આતંકી હુમલા પર શું બોલ્યો મસૂદ અઝહર ? AUDIO જાહેર કરી પહેલી વાર આપી પ્રતિક્રિયા અને ચલાવ્યું જુઠ્ઠાણું

Follow us on

પુલવામા આતંકી હુમલાના લગભગ એક અઠવાડિયા બાદ આતંકવાદી મૌલાના મસૂદ અઝહરે એક નવો ઑડિયો જાહેર કર્યો છે.

TV9 Gujarati

 

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદ (JEM)ના ચીફ મસૂદે ગુરુવારે જાહેર કરેલા આ ઑડિયોમાં પુલવામા આતંકી હુમલામાં કોઈ પણ રીતે પોતાનો હાથ હોવાનો ઇનકાર કર્યો છે. અહીં સુધી કે તેણે દાવો કર્યો છે કે તે ક્યારેય આત્મઘાતી હુમલાખોર આદિલ અહમદ ડારને મળ્યો નથી. આ ઑડિયોમાં તેણે પાકિસ્તાની સરકાર અને મીડિયાને ડરપોક ગણાવ્યા છે.

નોંધનીય છે કે ગત 14 ફેબ્રુઆરીએ થયેલા પુલવામા આતંકી હુમલાની જવાબદારી મસૂદના સંગઠન જેઈએમે લીધી હતી. ગુરુવારે જાહેર કરાયેલો ઑડિયોમાં મસૂદે કહ્યું, ‘પુલવામા આતંકી હુમલાથી હિન્દુસ્તાનના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 2019ની લોકસભા ચૂંટણીમાં ઘાટો થશે. હું પાકિસ્તાનને કોઈ પણ જાતના યુદ્ધમાં ધકેલવા નથી માંગતો. ચીન હંમેશા પાકિસ્તાનનું જ સમર્થન કરશે, એટલે ગભરાવવાની જરૂર નથી. નરેન્દ્ર મોદી કાશ્મીરમાં સંપૂર્ણપણે ફેલ થઈ ગયા છે.’

મસૂદ અઝહરે આ ઑડિયોમાં કહ્યું, ‘અહીં (પાકિસ્તાન)ના મીડિયા અને સરકાર બંને ડરેલા છે. જેટલી ગાળ આપવી છે, આપી દો મને, પરંતુ આદિલ અહેમદ વિરુદ્ધ કંઈ ન કહેતા, કાશ્મીરમાં આઝાદીની લડાઈ પોતાના પગો પર ઊભી થઈ ચુકી છે. ત્યાં કોઈ વિદેશી તાકાતની જરૂર નથી. આદિલને આખી દુનિયા મારી સાથે જોડી રહી છે, પણ મારી હસરત છે કે કાશ, હું તેને ક્યારેય મળ્યો હોત. જો આદિલના કારણે મને મારી દેવામાં આવશે, તે કોઈ ગમ નહીં થાય, આ મારા માટે શહાદત હશે.’

મસૂદ અઝહરે આ ઑડિયોમાં પાકિસ્તાની કૉલમિસ્ટ અયાઝના વખાણ કર્યા કે જેમણે આદિલના વખાણ કર્યા હતા. મસૂદે અપીલ કરી છે કે પાકિસ્તાની આવામે હિન્દુસ્તાનના દબાણમાં ન આવવું જોઇએ.

[yop_poll id=1651]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article