બેંક ખાતાથી લઈને આધાર કાર્ડ સુધી, જાણો અફઘાનિસ્તાનથી ભારતમાં આવેલા નાગરિકોને કઈ સુવિધાઓ મળશે

|

Aug 20, 2021 | 6:42 PM

ભારતમાં લાંબાગાળાના વિઝા પર રહેતા અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી લઘુમતીઓની સમસ્યાઓ હળવી કરવા માટે ભારત સરકારે સંખ્યાબંધ સુવિધાઓને મંજૂરી આપી છે.

બેંક ખાતાથી લઈને આધાર કાર્ડ સુધી, જાણો અફઘાનિસ્તાનથી ભારતમાં આવેલા નાગરિકોને કઈ સુવિધાઓ મળશે
પ્રતીકાત્મક તસ્વીર

Follow us on

20 વર્ષ પછી તાલિબાને (Taliban) સત્તા સંભાળતા જ ભારતમાં (India) પણ નવા સમીકરણો પર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ભારત અને અફઘાનિસ્તાનનો (Afghanistan) ઈતિહાસ ઘણી રીતે જોડાયેલ છે. ઘણા અફઘાન નાગરિકો પહેલેથી જ ભારતમાં રહે છે, પરંતુ આ નવા સંકટ પછી કેટલાક વધુ નાગરિકો હવે દેશમાં આવવા માંગે છે. ભારત દ્વારા એક ખાસ વિઝા(Visa) કેટેગરી પણ શરૂ કરવામાં આવી છે. જો કોઈ અફઘાન નાગરિક ભારતમાં શરણ લે તો શું થશે? ચાલો આજે તમને દેશની શરણાર્થી નીતિ વિશે જણાવીએ. એ પણ જાણો કે જ્યારે અફઘાનિસ્તાનથી નાગરિકો ભારત આવશે, ત્યારે તેમને દેશમાં કઈ સુવિધાઓ મળશે.

 

 

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

ભારતમાં ક્યારે આશ્રય મેળવવો

યુનાઈટેડ નેશન્સ કન્વેન્શન 1951ના આર્ટિકલ 1ના ફકરા 2માં શરણાર્થીની વ્યાખ્યા વાંચે છે કે ‘એવી વ્યક્તિ જે જાતિ, ધર્મ, રાષ્ટ્રીયતા, કોઈ ચોક્કસ સામાજિક સંસ્થા અથવા રાજકીય વિચારધારાને કારણે પોતાના જીવને જોખમ લાગે છે. જે તે દેશની બહાર છે અને આ ડરને કારણે તે પોતાના દેશમાં રહી શકતો નથી.

 

 

ભારતમાં માનવતાના આધારે અન્ય દેશોના નાગરિકોને આશ્રય આપવાનો નિયમ છે. ભારતમાં વ્યક્તિને ત્યારે જ આશ્રય મળશે. જ્યારે કોઈ વ્યક્તિ પાસે માનવ અધિકારોના ઉલ્લંઘનથી બચવા સિવાય કોઈ વિકલ્પ ન હોય, સામાજિક, આર્થિક અને રાજકીય અસલામતી અનુભવે, તેના દેશમાં હિંસા થઈ રહી છે અથવા કોઈ ગૃહયુદ્ધને કારણે નિશાન બનાવવામાં આવી રહ્યું છે.

 

 

એ નોંધવું જરૂરી છે કે કામચલાઉ નાગરિકો, પ્રવાસીઓ, ગેરકાયદે આર્થિક કામદારો, ગુનેગારો, જાસૂસો, ઘૂસણખોરો અને આતંકવાદીઓને ક્યારેય આશરો આપી શકાય નહીં. આ સિવાય પોતાના દેશના એક પ્રદેશમાંથી બીજા વિસ્તારમાં જતી વ્યક્તિને પણ શરણાર્થી કહેવામાં આવશે નહીં.

 

આધાર કાર્ડથી બેંક ખાતા સુધીની સુવિધા

ભારતમાં લાંબાગાળાના વિઝા પર રહેતા અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી લઘુમતીઓની સમસ્યાઓ હળવી કરવા માટે ભારત સરકારે સંખ્યાબંધ સુવિધાઓને મંજૂરી આપી છે. તેમને બેંક ખાતું ખોલવા, તેમના વ્યવસાય માટે મિલકત ખરીદવા, સેવા-રોજગાર, સ્વ-રોજગાર માટે યોગ્ય સ્થળ ખરીદવા, ડ્રાઈવિંગ લાયસન્સ, પાન કાર્ડ અને આધાર કાર્ડ મેળવવાની મંજૂરી આપવામાં આવી છે.

 

 

1989માં ભારતે મ્યાનમારના 3,000 નાગરિકોને આશરો આપ્યો હતો. એ જ રીતે શ્રીલંકાથી આવેલા તમિલ શરણાર્થીઓને પણ તમિલનાડુમાં સ્થાન મળ્યું છે. ભારતે શ્રીલંકાથી આવતા શરણાર્થીઓને આશ્રય આપવા માટે પોતાની શરણાર્થી નીતિ બદલી હતી. તે સમયે, તે લોકોને પણ દેશમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો, જેમની પાસે મુસાફરીના દસ્તાવેજો ન હતા. ભારતે સંયુક્ત રાષ્ટ્રના 1951ના સંમેલન પર હસ્તાક્ષર કર્યા નથી, ન તો તે 1967ના પ્રોટોકોલનું પાલન કરે છે, પરંતુ યુએનના સભ્ય તરીકે શરણાર્થીઓને આશ્રય આપવાની જવાબદારી છે.

 

ભારતમાં સૌથી વધુ શરણાર્થીઓ

યુનાઈટેડ નેશન્સ હાઈ કમિશનર ફોર રેફ્યુજી (UNHCR) રાજકીય આશ્રય મેળવનાર વ્યક્તિને એવી વ્યક્તિ તરીકે વ્યાખ્યાયિત કરે છે, જે શરણાર્થી તરીકે આંતરરાષ્ટ્રીય રક્ષણ માગે છે, પરંતુ અરજીના સમયે હજુ સુધી તેની શરણાર્થી સ્થિતિ નક્કી કરી નથી.

 

જો કોઈ વ્યક્તિ તેના મૂળ દેશમાં પાછો ફર્યો હોય તો તે જાતિ, ધર્મ, રાષ્ટ્રીયતા, રાજકીય માન્યતા અથવા ચોક્કસ સામાજિક જૂથના સભ્યપદને કારણે સતાવણીનો ભોગ બનવાની સંભાવના હોવાના કારણે રાજકીય આશ્રય માટે અરજી કરી શકે છે.

 

ભારતમાં દક્ષિણ એશિયન ક્ષેત્રમાં સૌથી વધુ શરણાર્થીઓની વસ્તી છે, પરંતુ શરણાર્થીઓ માટે એક સમાન કાયદો હજુ સુધી ઘડવામાં આવ્યો નથી. ભારતે હજુ સુધી 1951ના યુનાઈટેડ નેશન્સ રેફ્યુજી કન્વેન્શન ઓફ રેફ્યુજી સ્ટેટસ પર અથવા ‘યજમાન રાજ્ય’ દ્વારા જરૂરીયાત મુજબ શરણાર્થીઓને અધિકારો અને સેવાઓ અંગેના પ્રોટોકોલ પર હસ્તાક્ષર કર્યા નથી.

 

પાસપોર્ટ એક્ટ 1920, ફોરેનર્સ એક્ટ, 1946 જેવા વિવિધ કાયદાઓને ધ્યાનમાં લેતા અધિકારીઓ દ્વારા શરણાર્થીઓ અને આશ્રય મેળવનારાઓના પ્રવેશ અંગે વિચારણા કરવામાં આવે છે.

 

 

આ પણ વાંચો : અફઘાનિસ્તાનમાં સત્તા પલટાની અસર ડ્રાયફ્રૂટ્સ બજારો પર, અમદાવાદમાં ડ્રાયફ્રૂટ્સના ભાવમાં 30 ટકાનો વધારો

આ પણ વાંચો :શું રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને પણ મળે છે રજાઓ ? જ્યારે તે હાજર ન હોય ત્યારે કોણ સંભાળે છે જવાબદારી ?

Published On - 6:41 pm, Fri, 20 August 21

Next Article