વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) આજે ડિજિટલ માધ્યમ દ્વારા G7 સમિટને સંબોધન કરશે. વડાપ્રધાન મોદી 12 અને 13 જૂનના રોજ G7 સમિટના સત્રોમાં ભાગ લેશે. વિદેશ મંત્રાલયે ગયા મહિને કહ્યું હતું કે નરેન્દ્ર મોદી દેશની કોરોના વાયરસની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને G7 શિખર સંમેલનમાં ભાગ લેવા યુકે જશે નહીં.
G7 જૂથમાં યુકે, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન અને યુ.એસ.નો સમાવેશ થાય છે. G7 ના અધ્યક્ષ તરીકે, યુકેએ ભારત, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ કોરિયા અને દક્ષિણ આફ્રિકાને સમિટમાં આમંત્રણ આપ્યું છે.
બ્રિટનના વડાપ્રધાને શુક્રવારે કોર્નવાલમાં G7 શિખર સંમેલનની શરૂઆતમાં જાહેરાત કરી હતી કે યુકે આગામી વર્ષ સુધીમાં વિશ્વમાં કોવિડ -19 રસીના 100 મિલિયન ડોઝ પહોંચાડશે.
બ્રિટનના વડાપ્રધાને કહ્યું, રોગચાળાની શરૂઆતથી જ બ્રિટને આ જીવલેણ રોગ સામે માનવતાને બચાવવા આગળ વધ્યું છે. એક વર્ષ પહેલાં, અમે વિશ્વને પોસાય તેવી રસી પૂરી પાડવા માટે ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકા રસીઓને ભંડોળ આપ્યું.
સમિટના ઔપચારિક સત્ર પૂર્વે, જોનસને રોગચાળાને હરાવવા માટે મોટા પગલાં લેવાનું વચન આપ્યું હતું. યુકે, યુએસએ, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી અને જાપાન તેમજ યુરોપિયન યુનિયન અને ભારત, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા અતિથિ દેશો તરીકે ભાગ લઈ રહ્યા છે.
બ્રિટન સપ્ટેમ્બરના અંત સુધીમાં વિશ્વના સૌથી ગરીબ દેશો માટે 50 લાખ ડોઝ આપશે. જોનસને કહ્યું કે G7 શિખર સંમેલનમાં મને આશા છે કે સાથી નેતાઓ પણ આ જ સંકલ્પ વ્યક્ત કરશે જેથી આવતા વર્ષના અંત સુધીમાં આખી દુનિયાને રસી અપાય અને કોરોના વાયરસની સ્થિતિમાં સલામત વાતાવરણની રચના થાય.