પાકિસ્તાનની હરકતો પર ફ્રાન્સ અકળાયું, આપી છેલ્લી ચેતવણી, કહ્યું, ‘આતંકવાદ રોકો બાકી થશે જોવા જેવી’

|

Feb 27, 2019 | 9:20 AM

એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાન ડઘાઈ ગયું છે અને સતત સીઝફાયર તોડીને જ્યાં એક બાજુ એલઓસી પર ગોળીઓ ચલાવી. તો ત્યાં બંને દેશો વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે ફ્રાંસે પાકિસ્તાનને કહ્યું કે ઈમરાનખાનની સરકાર પાકિસ્તાનની જમીન પરથી ચાલતા આતંકી સંગઠનો વિરૂદ્ધ કાર્યવાહી કરે. ફ્રાંસે પુલવામા આતંકી હુમલાને ભયાનક ગણીને તેની નિંદા કરી અને કહ્યું કે પાકિસ્તાન […]

પાકિસ્તાનની હરકતો પર ફ્રાન્સ અકળાયું, આપી છેલ્લી ચેતવણી, કહ્યું, આતંકવાદ રોકો બાકી થશે જોવા જેવી

Follow us on

એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાન ડઘાઈ ગયું છે અને સતત સીઝફાયર તોડીને જ્યાં એક બાજુ એલઓસી પર ગોળીઓ ચલાવી.

તો ત્યાં બંને દેશો વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે ફ્રાંસે પાકિસ્તાનને કહ્યું કે ઈમરાનખાનની સરકાર પાકિસ્તાનની જમીન પરથી ચાલતા આતંકી સંગઠનો વિરૂદ્ધ કાર્યવાહી કરે. ફ્રાંસે પુલવામા આતંકી હુમલાને ભયાનક ગણીને તેની નિંદા કરી અને કહ્યું કે પાકિસ્તાન પોતાની જમીન પરથી ચાલી રહેલા આતંકવાદી સંગઠનો વિરૂદ્ધ કાર્યવાહી કરે.

ફ્રાંસે કહ્યું છે કે આતંકવાદના કોઈ પણ રૂપની વિરૂદ્ધની લડાઈમાં તે ભારતની સાથે છે. પુલવામા હુમલા માટે જવાબદાર આતંકી સંગઠનો પર પ્રતિબંધ લગાવવાની સાથે તેમને આર્થિક રીતે નુક્સાન પહોંચાડવા સુધી તમામ રીતે ફ્રાંસ ભારતની સાથે છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ફ્રાંસે પહેલા પણ કહ્યું હતું કે તેમનો દેશ જૈશ-એ-મોહમ્મદ પ્રમુખ મસૂદ અઝહર પર પ્રતિબંધ લગાવવા માટે સંયુક્ત રાષ્ટ્રમાં એક પ્રસ્તાવ રજૂ કરશે અને ભારતનો સાથે આપશે.

પુલવામા હુમલામાં સીઆરપીએફના 40 દવાનો શહીદ થયા હતા. જેની જવાબદારી જૈશ-એ-મોહમ્મદે લીધી હતી જેને પાકિસ્તાન સમર્થન આપી રહ્યું છે.

અને ભારતે પાકિસ્તાન પર કરેલી એર સ્ટ્રાઈક બાદ ગભરાઈ ગયેલા પાકિસ્તાને પોતાની જનતાને પણ તો કંઈ જવાબ આપવો પડે ને. એટલે માત્ર દેખાડા માટે કહી શકાય તેવી રીતે પાકિસ્તાને એલઓસી પર ફાયરિંગ કર્યું અને સ્થાનિક લોકોના ઘરમાંથી ટાર્ગેટ કર્યો.

અને ત્યારબાદ ભારતીય હવાઈસીમામાં પાકિસ્તાની લડાયક વિમાન દાખલ થયા અને પૂંછ-રાજોરી પર બોમ્બ ફેંક્યા. જેમાં ભારતને કોઈ નુક્સાન નથી થયું.

પરંતુ 7 જવાન જખ્મી થયા છે. જેમાંથી 5 જવાનને મામૂલી ઈજા અને 2 જવાન ઘાયલ થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

[yop_poll id=1847]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 9:18 am, Wed, 27 February 19

Next Article