Bhavyata Gadkari | Edited By: Utpal Patel
May 13, 2021 | 6:19 PM
કોરોના વયરસથી બચવા માટે સમગ્ર દેશમાં લોકોને વેક્સિનેટ કરવામાં આવી રહ્યા છે. વેક્સિનેશનના કારણે ભવિષ્યમાં થનાર બિમારીના ભયને ઓછુ કરી શકાય છે. તેવામાં હવે ઇટલીના સંશોધનકર્તાઓએ કોરોના થયા બાદ શરીરમાં કેટલા સમય સુધી એંટીબોડી રહે છે તેને લઇને મહત્વપૂર્ણ જાણકારી આપી છે.
ઇટલીના મિલાનના સૈન રાફેલ હોસ્પિટલ જણાવ્યુ કે બિમારીની ગંભીરતા, દર્દીની ઉંમર અને બીજી બિમારીના ચપેટમાં આવ્યા બાદ પણ લોહીમાં એંટીબોડી લાંબા સમય સુધી રહે છે.
નેશનલ હેલ્થ ઇન્સ્ટિટ્યુટ સાથે મળીને કરવામાં આવેલ આ રિસર્સમાં 162 કોરોનાના દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ દર્દીઓને ગત વર્ષે કોરોનાની પહેલી લહેરના સમયે ઇમરજન્સી રૂમમાં રાખવામાં આવ્યા હતા. તેમના બ્લડ સેમ્પલ ગત વર્ષે માર્ચ અને એપ્રિલ દરમિયાન લેવામાં આવ્યા હતા.
જે પણ દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા તેમાંથી જીવીત બચેલા લોકોના સેમ્પલ ફરીથી નવેમ્બરમાં લેવામાં આવ્યા હતા. અને તેમના સેમ્પલ પર રિસર્ચ કરતા જાણવા મળ્યુ હતુ કે આ દર્દીઓમાં 8 મહિના સુધી એંટીબોડી જોવા મળી હતી.
શોધકર્તાઓએ વધુ એક મહત્વની જાણકારી આપી છે. તેમણે જણાવ્યુ કે જે લોકો કોરોનાને કારણે ગંભીર રૂપથી બિમાર પડ્યા હતા તેમનું શરીર ઇન્ફેક્શનના 15 દિવસની અંદર એંટીબોડી બનાવવામાં અસફળ રહ્યુ હતુ