મ્યાનમારમાં સૈન્ય ‘સરમુખત્યારશાહી’ ને સમર્થન કરતા ચીનના બદલ્યા સુર, યુએનને કહ્યું- દેશને ‘સિવિલ વોર’થી બચાવવાનો પ્રયાસ કરો

|

Jan 29, 2022 | 1:24 PM

China on Myanmar in UN: ચીને સંયુક્ત રાષ્ટ્રમાં મ્યાનમારનો મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું કે વૈશ્વિક એજન્સીએ આ દેશને ગૃહયુદ્ધથી બચાવવાનો પ્રયાસ કરવો જોઈએ. એક વર્ષ પહેલા મ્યાનમારમાં સેનાએ બળવો કર્યો હતો.

મ્યાનમારમાં સૈન્ય સરમુખત્યારશાહી ને સમર્થન કરતા ચીનના બદલ્યા સુર, યુએનને કહ્યું- દેશને સિવિલ વોરથી બચાવવાનો પ્રયાસ કરો
Myanmar Civil War ( PS : AFP)

Follow us on

સંયુક્ત રાષ્ટ્રમાં (United Nations) ચીનના રાજદૂત ઝાંગ જુને શુક્રવારે કહ્યું હતું કે સંઘર્ષગ્રસ્ત મ્યાનમારમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનો (United Nations Security Council) પ્રાથમિક ઉદ્દેશ્ય તેને વધુ હિંસા અને ગૃહયુદ્ધથી બચાવવાનો હોવો જોઈએ. સુરક્ષા પરિષદની દક્ષિણપૂર્વ એશિયાઈ રાષ્ટ્રોના 10-સભ્ય સંગઠન અને મ્યાનમારમાં યુએનના નવા રાજદૂતોની બંધ બારણે બેઠક પછી ઝાંગ જુને આશા વ્યક્ત કરી કે તેમના અને અન્ય લોકો દ્વારા પ્રયાસો “પરિસ્થિતિને થાળે પાડી શકે છે”.

નોંધનીય છે કે લગભગ એક વર્ષ પહેલા 1 ફેબ્રુઆરી 2021ના રોજ મ્યાનમારની સેનાએ આંગ સાન સૂ કીની ચૂંટાયેલી સરકાર પાસેથી સત્તા છીનવી લીધી હતી. ‘આસિસ્ટન્સ એસોસિએશન ફોર પોલિટિકલ પ્રિઝનર્સ’ દ્વારા એકત્ર કરવામાં આવેલા ડેટા અનુસાર, દેશભરમાં ત્યારપછીના દેખાવોમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 1,400 થી વધુ નાગરિકો માર્યા ગયા હતા. દક્ષિણપૂર્વ એશિયાના દેશોના પ્રાદેશિક જૂથ આસિયાનએ મ્યાનમારને સંકટમાંથી બહાર આવવા માટે મધ્યસ્થી ભૂમિકા ભજવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. ચીનના રાજદૂતે કહ્યું કે તેમનો દેશ માને છે કે આસિયાનએ “મહત્વપૂર્ણ ભૂમિકા” ભજવવી જોઈએ.

પ્રાદેશિક જૂથના દૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા

ઑક્ટોબરમાં કંબોડિયાએ આસિયાનનું પ્રમુખપદ સંભાળ્યું અને ડિસેમ્બરમાં વડા પ્રધાન હુન સેને દેશના વિદેશ પ્રધાન પ્રાક સોક્કોનને મ્યાનમારમાં પ્રાદેશિક જૂથના દૂત તરીકે નિયુક્ત કર્યા. સેનાએ સત્તા સંભાળી તે પછી હુન સેન પોતે મ્યાનમાર ગયા અને આમ કરનાર પ્રથમ વિદેશી નેતા બન્યા હતા. ઝાંગે શુક્રવારે જણાવ્યું હતું કે બેઇજિંગ હુન સેન દ્વારા કરવામાં આવેલા પ્રયાસોનું સ્વાગત કરે છે અને કંબોડિયન વડા પ્રધાનની મુલાકાતને “ખૂબ સરસ, ખૂબ અર્થપૂર્ણ” ગણાવે છે અને “અમે તેમને વધારે પ્રયત્નો કરવાનું ચાલુ રાખવા કહ્યું છે”.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

મ્યાનમાર આર્મીના સમર્થનમાં ચીન

ચીની રાજદૂતે જણાવ્યું હતું કે સોકખોને શુક્રવારે કાઉન્સિલને જણાવ્યું હતું કે સભ્ય દેશોએ મ્યાનમારની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ “વિશિષ્ટ રાજકીય માળખું” અને તે માળખામાં સૈન્ય દ્વારા ભજવવામાં આવતી ભૂમિકાને સમજવી પડશે અને “તેના આધારે જ આપણે ઉકેલ શોધી શકીએ છીએ.” મ્યાનમાર માટે યુએનના નવા વિશેષ દૂત તરીકે નુલિન હેજરની નિમણૂકને પણ ચીન આવકારે છે. તમને જણાવી દઈએ કે, ચીને મ્યાનમારની સૈન્ય તાનાશાહીનો વિરોધ કર્યો નથી. એવું માનવામાં આવે છે કે તે હજી પણ અહીં સૈન્ય સરકારને સમર્થન આપી રહ્યો છે.

આ પણ વાંચો : Uttar Pradesh Assembly Election 2022: PM મોદી યુપીમાં ભાજપના પ્રચારની કમાન સંભાળશે, 31 જાન્યુઆરીએ કરી શકે છે પ્રથમ વર્ચ્યુઅલ રેલી

આ પણ વાંચો : હાલમાં NeoCov વાયરસ મનુષ્યમાં ફેલાવાનું જોખમ નહીં, પરંતુ સાવચેત રહેવાની જરૂર, જાણો શું કહી રહ્યા છે વૈજ્ઞાનિકો?

Next Article