ઓસ્ટ્રેલિયામાં અનાવરણના 24 કલાકમાં જ મહાત્મા ગાંધીની પ્રતિમા તોડવામાં આવી, ભારતીય સમુદાયમાં રોષ

'ઓસ્ટ્રેલિયા ઈન્ડિયા કોમ્યુનિટી ચેરિટેબલ ટ્રસ્ટ'ના પ્રમુખ વાસન શ્રીનિવાસને કહ્યું કે તેમને એ વાતનું દુઃખ છે કે કોઈએ પ્રતિમાના અનાવરણના 24 કલાકની અંદર પ્રતિમાને તોડી પાડવાનો પ્રયાસ કર્યો.

ઓસ્ટ્રેલિયામાં અનાવરણના 24 કલાકમાં જ મહાત્મા ગાંધીની  પ્રતિમા તોડવામાં આવી, ભારતીય સમુદાયમાં રોષ
Bronze statue of Mahatma Gandhi gifted by Indian government has been vandalised in Australia
| Edited By: | Updated on: Nov 15, 2021 | 6:39 PM

Victoria, Australia : ભારત સરકાર દ્વારા ભેટમાં મળેલી મહાત્મા ગાંધી(Mahatama Gandhi)ની કાંસ્ય પ્રતિમાની ઓસ્ટ્રેલિયામાં તોડફોડ કરવામાં આવી છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન (PM Scott Morrison)એ આ કૃત્યને શરમજનક ગણાવીને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી. આ ઘટનાને લઈને ભારતીય-ઓસ્ટ્રેલિયન સમુદાયમાં નિરાશા છે.

અખબાર ‘ધ એજ’ અનુસાર, વડાપ્રધાન મોરિસને ભારતની આઝાદીના 75 વર્ષની યાદગીરીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ભારતના કોન્સ્યુલ જનરલ, પ્રિન્સ અને ઓસ્ટ્રેલિયાના નેતાઓ સાથે રોવિલે સ્થિત ઓસ્ટ્રેલિયન ભારતીય કમ્યુનીટી સેન્ટરમાં પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. અનાવરણના થોડા કલાકો પછી આ ઘટના બની.

સાંસ્કૃતિક સ્મારકો પર હુમલાને સાંખી લેવામાં નહીં આવે : સ્કોટ મોરિસન
વડાપ્રધાન સ્કોટ મોરિસન (PM Scott Morrison)એ કહ્યું, “આ સ્તરનું અનાદર જોવું શરમજનક અને અત્યંત નિરાશાજનક છે.” તેમણે કહ્યું કે આ દેશમાં સાંસ્કૃતિક સ્મારકો પર હુમલાને સહન કરવામાં આવશે નહીં. તેમણે કહ્યું, “જે કોઈ પણ આ માટે જવાબદાર છે તેણે ઓસ્ટ્રેલિયન ભારતીય સમુદાયનું ઘણું અપમાન કર્યું છે અને તેને શરમ આવવી જોઈએ.” આ મૂર્તિ ભારત સરકાર દ્વારા ભેટમાં આપવામાં આવી હતી.

વિક્ટોરિયા પોલીસે જણાવ્યું હતું કે અજ્ઞાત સંખ્યામાં ગુનેગારોએ શુક્રવારે સાંજે 5:30 વાગ્યાથી શનિવારે સાંજે 5:30 વાગ્યાની વચ્ચે પ્રતિમાને તોડવા માટે પાવર ટૂલ્સનો ઉપયોગ કર્યો હતો. પોલીસે જણાવ્યું કે નોક્સ ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન યુનિટના અધિકારીઓ કેસની તપાસ કરી રહ્યા છે અને સાક્ષીઓને આગળ આવવા અને માહિતી આપવા વિનંતી કરી રહ્યા છે. આ ઘટના પર શોક વ્યક્ત કરતા, શહેરના ભારતીય સમુદાયે તેને “નિમ્ન સ્તરનું કૃત્ય” ગણાવ્યું.

30 વર્ષના પ્રયાસ બાદ કેન્દ્રની સ્થાપના કરવામાં આવી હતી
એબીસી ન્યૂઝે તેના સમાચારમાં ‘ફેડરેશન ઑફ ઈન્ડિયન એસોસિએશન ઑફ વિક્ટોરિયા’ના પ્રમુખ સૂર્ય પ્રકાશ સોનીને ટાંકીને કહ્યું, “સમુદાય ખૂબ જ આઘાત અને દુઃખી છે. મને સમજાતું નથી કે કોઈ આવું ઘૃણાસ્પદ કૃત્ય શા માટે કરશે” તેમણે કહ્યું કે રોવિલ સેન્ટર વિક્ટોરિયા રાજ્યમાં પહેલું ભારતીય સમુદાય કેન્દ્ર છે અને 30 વર્ષના પ્રયત્નો પછી તેની સ્થાપના કરવામાં આવી છે.

‘ઓસ્ટ્રેલિયા ઈન્ડિયા કોમ્યુનિટી ચેરિટેબલ ટ્રસ્ટ’ના પ્રમુખ વાસન શ્રીનિવાસને કહ્યું કે તેમને એ વાતનું દુઃખ છે કે કોઈએ પ્રતિમાના અનાવરણના 24 કલાકની અંદર પ્રતિમાને તોડી પાડવાનો પ્રયાસ કર્યો. એસબીએસ ન્યૂઝે તેમને ટાંકીને જણાવ્યું હતું કે, “વિક્ટોરિયા રાજ્યમાં લગભગ 3,00,000 ભારતીયો રહે છે અને મેં ક્યારેય વિચાર્યું ન હતું કે વિક્ટોરિયામાં આવું બની શકે છે.” શ્રીનિવાસને કહ્યું કે દિવસભર ભારે વરસાદને કારણે પોલીસ ફિંગરપ્રિન્ટ્સ
શોધી શકી ન હતી.

આ પણ વાંચો : ડ્રગ્સ વિરુદ્ધ મુંબઈ NCB એ કરી ફરી મોટી કાર્યવાહી, મહારાષ્ટ્રના નાંદેડમાં પકડાયો 1.1 ટન ગાંજો, જલગાંવમાં પણ 1500 કિલો ગાંજો જપ્ત

આ પણ વાંચો : Health Tips : એવા કયા ખોરાક છે જેને તમારે ફરી ગરમ કરીને ખાવાથી બચવાની જરૂર છે ?