SCO સમિટમાં આગળ ચાલી રહ્યા હતા વડાપ્રધાન મોદી, ઈમરાન ખાનની સામે જોયુ પણ નહી

|

Jun 14, 2019 | 4:43 AM

વડાપ્રધાન મોદી અને પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન 2 દિવસ શંઘાઈ સહયોગ સંગઠન (SCO)માટે કિર્ગીસ્તાનની રાજધાની બિશ્કેકમાં છે પણ બંને નેતાઓની વચ્ચે કોઈ પ્રકારની વાતચીત થઈ નથી અને કોઈ પણ પ્રકારનું ઔપચારિક અભિવાદન પણ નથી થયું. સમિટ માટે નિકળતા પહેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું હતું કે ભારતની સાથે પાકિસ્તાનના સંબંધ તેમના સૌથી ખરાબ સમયથી ગુજરી […]

SCO સમિટમાં આગળ ચાલી રહ્યા હતા વડાપ્રધાન મોદી, ઈમરાન ખાનની સામે જોયુ પણ નહી

Follow us on

વડાપ્રધાન મોદી અને પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન 2 દિવસ શંઘાઈ સહયોગ સંગઠન (SCO)માટે કિર્ગીસ્તાનની રાજધાની બિશ્કેકમાં છે પણ બંને નેતાઓની વચ્ચે કોઈ પ્રકારની વાતચીત થઈ નથી અને કોઈ પણ પ્રકારનું ઔપચારિક અભિવાદન પણ નથી થયું.

સમિટ માટે નિકળતા પહેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું હતું કે ભારતની સાથે પાકિસ્તાનના સંબંધ તેમના સૌથી ખરાબ સમયથી ગુજરી રહ્યાં છે. તે સિવાય તેમને આશા વ્યક્ત કરી હતી કે વડાપ્રધાન મોદી કાશ્મીર સહિત બધા જ મતભેદોને હલ કરવા માટે તેમના પ્રચંડ જનાદેશનો ઉપયોગ કરશે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

SCO સંમેલનમામં બંને પાડોશી દેશોની વચ્ચે સંબંધોને સુધારવા માટે ભારતીય નેતૃત્વની સાથે વાત કરવાની તક આપી છે. ઈમરાન ખાને કહ્યું કે SCO સંમેલને પાકિસ્તાનને ભારત સહિત અન્ય દેશોની સાથે તેમનો સંબંધ વિકસિત કરવા માટે એક નવો મંચ આપ્યો છે.

તેમને કહ્યું કે આ વખતે ભારતની સાથે અમારા દ્વિપક્ષીય સંબંધ લગભગ સૌથી ખરાબ સમયથી ગુજરી રહ્યાં છે. પાકિસ્તાન કોઈ પણ રીતે મધ્યસ્થતા માટે તૈયાર છે અને તેના બધા જ પાડોશીઓ અને ખાસ કરીને ભારતની સાથે શાંતિનો વિશ્વાસ કરે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

સુત્રો દ્વારા મળતી માહિતી SCO સંમેલનમાં વડાપ્રધાન મોદી અને ઈમરાન ખાનની વચ્ચે કોઈ પણ પ્રકારની વાતચીત થશે નહી. વડાપ્રધાન મોદીએ ત્યાં હાજર રહેલા બધા જ દેશોના રાષ્ટ્રઅધ્યક્ષો સાથે મુલાકાત કરી પણ ઈમરાન ખાન સાથે કોઈ મુલાકાત કરી નથી. બંને નેતા એક જ સમયે હોલમાં આવ્યા હતા. વડાપ્રધાન મોદી ઈમરાન ખાનની આગળ ચાલી રહ્યાં હતા પણ બંને નેતાઓ વચ્ચે કોઈ વાતચીત નથી થઈ કે હાથ પણ મિલાવ્યો નથી.

આ પણ વાંચો: દુનિયાની સૌથી મોટી પાર્ટી હોવાનો દાવો કરનારી ભાજપ પાર્ટી ફરી ચલાવશે સભ્યપદ ઝુંબેશ

હોલમાં વડાપ્રધાન મોદી ઈમરાન ખાનથી 3 સીટ દુર બેઠા હતા. ગાલા કલ્ચરલ નાઈટ પ્રોગ્રામમાં પણ બંને નેતાઓ એક બીજાની આસપાસ જ રહ્યાં હતા પણ અત્યાર સુધી કોઈ વાતચીત બંને નેતાઓ વચ્ચે થઈ નથી.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article