ફિલિપાઈન્સમાં 250 મુસાફરોને લઈને જતી બોટમાં લાગી આગ,12 લોકોના મોત, જીવ બચાવવા પાણીમાં કૂદેલા ઘણા લાપતા

|

Mar 30, 2023 | 11:34 AM

Ferry in Philippines Fire : ફિલિપાઈન્સમાં એક બોટમાં આગ લાગી હતી. આ બોટમાં લગભગ 250 લોકો હતા. આગમાં 12 લોકોના મોત થયા છે. કેટલાક લોકો બચવા માટે પાણીમાં કૂદી પડ્યા હતા. હાલમાં સાત મુસાફરો ગુમ છે.

ફિલિપાઈન્સમાં 250 મુસાફરોને લઈને જતી બોટમાં લાગી આગ,12 લોકોના મોત, જીવ બચાવવા પાણીમાં કૂદેલા ઘણા લાપતા
12 Killed In Fire On Philippine Ferry, Several Missing

Follow us on

ફિલિપાઈન્સથી એક મોટી દુર્ઘટનાના સમાચાર આવી રહ્યા છે. ફિલિપાઈન્સ ટાપુઓ વચ્ચે લગભગ 250 મુસાફરો અને ક્રૂને લઈ જતી ફેરીમાં આગ લાગી હતી. અહેવાલો અનુસાર, આ દુર્ઘટનામાં 12 લોકોના મોત થયા છે અને અન્ય સાત લોકો હજુ પણ લાપતા છે. પ્રાંતના ગવર્નરે ગુરુવારે આ માહિતી આપી હતી. બેસિલનના દક્ષિણી ટાપુ પ્રાંતના ગવર્નર જિમ હાટામેને જણાવ્યું હતું કે આગ ફાટી નીકળ્યા બાદ ઘણા લોકો ફેરી બોટ માંથી ગભરાઈને ઉપરથી કૂદી પડ્યા હતા.

તેઓને કોસ્ટ ગાર્ડ, નેવી, અન્ય બોટ અને સ્થાનિક માછીમારો દ્વારા દરિયામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.હજુ પણ આ શોધ અને બચાવ કામગીરી ચાલુ છે. ગવર્નરે જણાવ્યું હતું કે ‘એમવી લેડી મેરી જોય 3’ બોટ પર સવાર મોટાભાગના લોકોને રાતોરાત ઓપરેશન દરમિયાન બચાવી લેવામાં આવ્યા હતા. વિવિધ એજન્સીઓ દ્વારા મૃત્યુઆંક આંકવામાં આવી રહ્યો છે, તેથી મૃત્યુઆંક વધવાની આશંકા છે. રાજ્યપાલે કહ્યું કે મૃતકોમાં ત્રણ બાળકો પણ સામેલ છે.

મુસાફરો ફેરી બોટ માંથી કુદ્યા

દુર્ઘટનામાં ઓછામાં ઓછા 23 મુસાફરો ઘાયલ થયા છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગવર્નર જિમ હેટમેને ન્યૂઝ એજન્સી ‘ધ એસોસિએટેડ પ્રેસ’ સાથે ફોન પર વાતચીતમાં કહ્યું, ‘આગને કારણે થયેલા હંગામાને કારણે કેટલાક મુસાફરો જાગી ગયા હતા.કેટલાક બોટ માંથી કુદી ગયા હતા.’ અધિકારીઓએ જણાવ્યું હતું કે ડૂબી જવાથી મૃત્યુ પામેલા મોટાભાગના લોકોના મૃતદેહ મળી આવ્યા છે. હટામને અહેવાલ આપ્યો કે સળગતી બોટને બેસિલાનના કિનારે ખેંચવામાં આવી હતી.

આજનું રાશિફળ તારીખ 02-04-2025
રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સમાંથી થશે બહાર ?
રેમો તેની પત્નીને સુપરવુમન માને છે, જુઓ ફોટો
હાર્દિક પંડ્યાની રુમર્ડ ગર્લફ્રેન્ડ જાસ્મીન વાલિયાની કુલ નેટવર્થ કેટલી છે?
મૌની રોય કેટલા કરોડની માલિક છે? જાણો
હાર્દિક પંડ્યા સાથે જાસ્મિને સંબંધોની કરી પુષ્ટિ? મેચ બાદ MI ટીમની બસમાં બેઠી

ફિલિપાઇન્સમાં અકસ્માતો શા માટે થાય છે?

કેસની તપાસ ચાલી રહી છે. ફિલિપાઇન્સ દ્વીપસમૂહમાં દરિયાઇ અકસ્માતો સામાન્ય છે, ખાસ કરીને દૂરના પ્રાંતોમાં, વારંવારના તોફાનો, નબળી જાળવણી નૌકાઓ,સલામતી નિયમોના ઢીલા અમલને કારણે વારંવાર અકસ્માત થાય છે. નોંધપાત્ર રીતે, ડિસેમ્બર 1987 માં, ફેરી ‘ડોના પાઝ’ ઇંધણ ટેન્કર સાથે અથડાયા પછી ડૂબી ગઈ હતી, જેમાં 4,300 થી વધુ લોકો માર્યા ગયા હતા.