16 SANSKAR: શા માટે બાળકોની ઉતારવામાં આવે છે બાબરી ? જાણો શાસ્ત્રોમાં વર્ણિત મુંડન સંસ્કારના લાભ

|

Aug 04, 2021 | 12:02 PM

અગાઉના બધા જન્મોના ઋણોમાંથી છૂટકારો મેળવવા અને પાપકર્મોથી મુક્ત થવાના હેતુથી, બાળકના જન્મના વાળ કાપવામાં આવે છે અને આમ કરવામાં ન આવે તો એને દોષના ભાગીદાર ગણાય છે.

16 SANSKAR: શા માટે બાળકોની ઉતારવામાં આવે છે બાબરી ? જાણો શાસ્ત્રોમાં વર્ણિત મુંડન સંસ્કારના લાભ
મુંડન સંસ્કાર તો બાળકોના સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી !

Follow us on

ભારતીય પરંપરામાં બાળકને મુંડન (MUNDAN) કરાવવાનું એટલે કે બાબરી ઉતરાવવાનું વિશેષ મહત્વ છે. હિન્દુ ધર્મમાં 16 સંસ્કાર છે. જેમાં મુંડન સંસ્કાર આઠમા સ્થાને આવે છે. આ સંસ્કાર વિધિ દરમિયાન બાળકને મુંડન કરવામાં આવે છે. એટલે કે, બાળકના જન્મ પછી પ્રથમ વખત માથાના વાળ દૂર કરવામાં આવે છે. પણ, ઘણાં ઓછાં લોકોને ખ્યાલ હશે કે આ મુંડન વિધિના અનેક લાભ પણ છે.

આજે અમે તમને બાળકોના મુંડનને લગતી એટલે કે બાબરી વિધિને લગતી મહત્વની બાબતો જણાવીશું. એ જાણીને તમને પણ થશે કે બાળકોને મુંડન કરાવવું કેમ જરૂરી છે અને તેમને મુંડન શા માટે કરાવવું જોઇએ. લોકો આ સંસ્કાર તેમના રિવાજ પ્રમાણે કરે છે. મુંડન કરાવવાની પરંપરા સદીઓથી ચાલી રહી છે.

મુંડનની ધાર્મિક માન્યતા
નવજાત શિશુઓને ધાર્મિક હેતુ માટે મુંડન કરવામાં આવે છે. જ્યારે બાળકનો જન્મ થાય છે, ત્યારે ગર્ભાવસ્થાના સમયથી તેના માથા પર કેટલાક વાળ જોવા મળે છે, જેને અશુભ માનવામાં આવે છે. હિન્દુ ધર્મ અનુસાર, 84 લાખ યોનિ પછી માનવ જીવન મળી આવે છે. અગાઉના બધા જન્મોના ઋણોમાંથી છૂટકારો મેળવવા અને પાપકર્મોથી મુક્ત થવાના હેતુથી, બાળકના જન્મના વાળ કાપવામાં આવે છે અને આમ કરવામાં ન આવે તો તેને દોષના ભાગીદાર ગણાય છે. ધાર્મિક માન્યતાની સાથે, તેનું વૈજ્ઞાનિક કારણ પણ માનવામાં આવે છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

પૌરાણિક માન્યતાઓ અનુસાર, મુંડન વિધિ બાળકના મગજને સુધારવા, બુદ્ધિ વધારવા, ગર્ભાવસ્થાની અશુદ્ધિઓને દૂર કરવા અને માનવતાવાદી આદર્શોને બદલવા માટે કરવામાં આવે છે. મુંડન કર્યા પછી, ચોટી રાખવી પણ એક હેતુ છે, જેની પાછળ માનવામાં આવે છે કે તે મનની રક્ષા કરે છે, તેમજ તે રાહુ ગ્રહને શાંત કરે છે, પરિણામે માથું ઠંડું રહે છે.

બાળકને મુંડન ક્યારે કરાવવું ?
આમ તો મુંડન પોત પોતાની માન્યતા અનુસાર કરવામાં આવે છે. પરંતુ સામાન્ય રીતે મુંડન સમારોહ જન્મ પછીના પ્રથમ વર્ષના અંતમાં અથવા ત્રીજા, પાંચમા અથવા સાતમા વર્ષના અંત પહેલા કરવામાં આવે તેવો રિવાજ હોય છે.

મુંડન ક્યાં કરાવવું ?
હિન્દુ ધર્મ અનુસાર, યોગ્ય સમય જોયા પછી મુંડન સંસ્કાર કરવામાં આવે છે. સામાન્ય રીતે તે ધાર્મિક તીર્થસ્થાન પર કરવામાં આવે છે જેમ કે તિરૂપતિ બાલાજી, ગંગાજી અથવા અન્ય કોઈ પણ દેવતાનું મંદિર હોય. ધાર્મિક તીર્થ સ્થળ પર મુંડન કરાવવાની પરંપરા એટલે છે કે બાળકને ધાર્મિક સ્થળના વાતાવરણનો લાભ મળી શકે. તેનો શુભ સમય પંડિત દ્વારા બાળકના જન્મ અને સમયના આધારે નક્કી કરવામાં આવે છે.

મુંડન કરવાની પદ્ધતિ
મુંડન સમારોહ દરમિયાન માતા બાળકને તેના ખોળામાં બેસાડીને પશ્ચિમ દિશામાં અગ્નિ તરફ ચહેરો રાખે છે. આ દરમિયાન પંડિતો હવન પણ કરે છે. આ પછી, વાળંદ બાળકના વાળ ઉતારે છે. જો કે, કેટલાક પરિવારોમાં, પંડિત પાસે પ્રારંભિક વાળ ઉતરાવે છે. આ પછી બાળકનું માથું ગંગાના પાણીથી ધોવામાં આવે છે. ત્યારબાદ બાળકના માથા પર હળદર અને ચંદનનો લેપ લગાવવામાં આવે છે.

જો બાળકના માથા પર કોઈ પણ પ્રકારનો ઘા હોય તો આ લેપ ઝડપથી સારું કરવામાં મદદ કરે છે. પછી બાળકના વાળ દેવની મૂર્તિને અર્પણ કરવામાં આવે છે અથવા નદીમાં પધરાવી દેવામાં આવે છે. કેટલીક પરંપરાઓમાં, મુંડન દરમિયાન વાળની ​​થોડી ચોટી રાખવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે આ ચોટી મગજને સુરક્ષા આપે છે.

મુંડનના લાભ
મુંડન કરવું એ સંસ્કાર છે, પરંતુ તેને કરાવવાથી ઘણા લાભ થાય છે, જેમ કે, સફાઇ તરીકે એવું કહેવામાં આવે છે કે જ્યારે બાળક માતાના ગર્ભાશયમાં હોય છે, ત્યારે તેના માથા પર કેટલાક વાળ હોય છે, જેમાં ઘણા સૂક્ષ્મજંતુઓ અને બેક્ટેરિયા હોય છે. આ બેક્ટેરિયા સામાન્ય સ્નાન અથવા ધોવાથી દૂર થતા નથી. તેથી, બાળકને જન્મ પછી એક વાર મુંડન કરાવવું જોઇએ.

સરસ વાળ માટે
મુંડન કર્યા પછી, માથું સંપૂર્ણપણે ખુલ્લું થઈ જાય છે, જેના કારણે સૂર્યપ્રકાશ સીધા બાળકના માથા અને શરીર પર પડે છે. આને કારણે કોષો જાગૃત થાય છે અને નસોમાં લોહીનું સારું પરિભ્રમણ થાય છે. તેની સાથે તેના ભવિષ્યમાં આવતા વાળ પણ સારા થઈ જાય છે.

બુદ્ધિ માટે
મુંડન કરાવ્યા પછી, માથું પહોળું થઈ જાય છે અને તેને પૂર્ણ કરતી વખતે, નસો પર દબાણ આવે છે, જેના કારણે લોહીનો પ્રવાહ સારો થાય છે. જે મગજના વિકાસ માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

સારા સ્વાસ્થ્ય માટે
મુંડન કરાવવાથી, બાળકોના શરીરનું તાપમાન સામાન્ય થઈ જાય છે. જેના કારણે તેમનું મન અને શરીર ઠંડુ રહે છે. આ સાથે સ્વાસ્થ્ય સંબંધિત અન્ય સમસ્યાઓ જેવી કે તાવ, કમળો, ઝાડા વગેરેથી પણ રાહત મળે છે.

દાંતમાં ખંજવાળ
જ્યારે મુંડન થઈ જાય છે, ત્યારે બાળકના દાંત પણ બહાર આવવાના ચાલુ થઈ ગયા હોય છે. તેને કારણે તેઓ માથામાં ભારેપણું અનુભવે છે. માથા પરથી વાળ નીકળવાના કારણે તેમને ખૂબ આરામ મળે છે. એવું પણ માનવામાં આવે છે કે દાંત આવતા સમય દરમિયાન મુંડન કરાવાથી તાળવાનો દુ:ખાવો નથી થતો અને ધ્રુજવાનું બંધ થાય છે.

 

આ પણ વાંચો : BHAKTI: શું તમે બુધવારે કરો છો આ ઉપાય ? ગજાનન શ્રીગણેશ કૃપા વરસાવશે અપાર !

આ પણ વાંચો : Bhakti: જાણો શંખથી જોડાયેલા આ મહા ઉપાય, પૂજા સાથે થશે દરેક મનોકામના પૂર્ણ

Published On - 11:46 am, Wed, 4 August 21

Next Article