
આદુમાં એન્ટીબેક્ટેરિયલ અને બળતરા વિરોધી ગુણધર્મો હોય છે જે પેટને શાંત કરવામાં મદદ કરે છે. તમે આદુનું પાણી પી શકો છો.

કેમોલી ટી આંતરડા માટે ફાયદાકારક છે. તે દુખાવામાં રાહત આપે છે અને ગેસ દૂર કરવામાં મદદ કરે છે. એક કપ ઉકળતા પાણીમાં, એક કે બે ચમચી સૂકા કેમોલી ફૂલો ઉમેરો ઢાંકીને 5 મિનિટ સુધી ઉકાળ્યા પછી તેનું સેવન કરો.

બરફનું પાણી અને ખાંડ - એક ગ્લાસ બરફના પાણીમાં બે ચમચી ખાંડ ઉમેરો, સારી રીતે મિક્સ કરો અને પીઓ. તે શરીરના પ્રવાહીને સ્થિર કરવામાં મદદ કરે છે. કહેવાય છે કે ઠંડુ પાણી ગળા અને છાતીની સમસ્યા દૂર કરે છે.

નાળિયેર પાણી - નારિયેળ પાણી પીવો. આ તમારા પેટને હળવાશનો અનુભવ કરાવે છે. નાળિયેર પાણીમાં ફાઇબરનું પ્રમાણ વધારે છે. તે પાચનમાં મદદ કરે છે અને એસિડિટી અટકાવે છે.

બેકિંગ સોડા એન્ટાસિડ તરીકે કામ કરે છે. તે પેટમાં એસિડનું સ્તર ઘટાડે છે. બેકિંગ સોડાને પાણીમાં સારી રીતે મિક્સ કરો અને જરૂર મુજબ તેનું સેવન કરો.