સાંધાના દુખાવાથી છો હેરાન? તો દુખાવો ઘટાડવા માટેના અજમાવો આ 7 અસરકારક ઘરેલું ઉપાય

|

Jul 16, 2021 | 12:53 PM

સાંધાનો દુખાવો મોટા પ્રમાણે લોકોમાં જોવા મળે છે. જેની પાછળ કારણ છે આજકાલની જીવનશૈલી. ચાલો આજે તમને જણાવીએ કે આ પ્રકારના દુખાવામાંથી કેવી રીતે રાહત મેળવી શકાય.

સાંધાના દુખાવાથી છો હેરાન? તો દુખાવો ઘટાડવા માટેના અજમાવો આ 7 અસરકારક ઘરેલું ઉપાય
Try these 7 effective home remedies to reduce joint pain

Follow us on

આપણા ત્યાં ઘણા લોકોને સાંધાના દુખાવા જેવી અનેક સમસ્યા થતી હોય છે. ખાસ કરીને ઉંમરલાયક લોકોમાં આ સમસ્યા વધુ જોવા મળે છે. જો કે તેના ઘણા કારણોમાંથી એક કારણ એ છે કે ખોરાક અને જીવનશૈલી એક રૂટીનમાં ના હોવું. સાંધાના દુખાવાને લઈને સલાહ સુચન તમને ઘણા લોકો આપતા હોય છે પરંતુ કોઈ પણ ઉપચાર કર્યા પહેલા તેના તજજ્ઞનો સંપર્ક કરવો જરૂરી બની જાય છે.

તમને જણાવી દઈએ કે ઓછા દુખાવા અને સમસ્યા ધરાવતા લોકો ઘરે જ થોડી આસાન રીતોથી અને આસનોથી સમસ્યામાં રાહત મેળવી શકે છે. તેમજ ઘરે અથવા આસપાસના યોગા સેન્ટર જઈને સમસ્યાથી છૂટકારો મેળવી શકાય છે. ચાલો જણાવીએ કેટલાક ઉપાયો.

કસરત

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

કસરતથી ઘણી સમસ્યાઓમાં રાહત મળે છે. દરરોજ કસરત કરવાથી ઓસ્ટીયોપોરોસિસના વિકાસમાં વિલંબ આવે છે. જે સાંધાનો દુખાવો થવાના સૌથી સામાન્ય કારણોમાંનું એક છે. ચાલવું, તાઈ ચી, સ્વિમિંગ, સાયકલિંગ, યોગ વગેરે સાંધાના દુખાવા માટે સારા કહેવાય છે. બધા ઓસ્ટીયોપોરોસિસના વિકાસના વિલંબ માટે ઉપયોગી છે.

વજન ઘટાડવુંઅને આહાર

જો તમારું વજન વધારે છે, તો તમારે જલ્દીથી વજન ઘટાડવાના પ્રયાસ શરુ કરવાની જરૂર છે. કારણકે ઘૂંટણને સમગ્ર શરીરનું વજન ઉપાડવું પડે છે. જેના કારણે પીડા વધી શકે છે. તેથી વજન ઓછું કરવું પણ જરૂરી બને છે. સાથે જ સ્વસ્થ આહાર જેમ કે ફાયબર, વિટામીન ડી, કેલ્સિયમ વગેરેથી ભરપુર આહાર લાભદાયક નીવળી શકે છે.

ફિઝીયોથેરાપી

તમે ઉપચાર સેશન માટે ફિઝિયોથેરાપિસ્ટ સાથે વાત કરી શકો છો અને પીડા ઘટાડવા માટે નિયમિત ઘૂંટણની માલિશ કરી શકો છો.

એરોમાથેરાપી

આ થેરાપી ઘણા આવશ્યક તેલ સાથે કરવામાં આવે છે જે પીડા અને જડતાને ઘટાડે છે. આના માટે તમે જાણકારનો સંપર્ક કરી શકો છો.

આરામ અને સલામતી

જ્યારે તમારા ઘૂંટણ દુખે છે, ત્યારે તેને યોગ્ય આરામ આપો અને જ્યારે તમે બહાર ચાલતા હોવ ત્યારે ઘૂંટણની સલામતી માટે ઘૂંટણ કેપ પહેરો. સોજો ઓછો કરવા માટે તેને બરફથી નિયમિતપણે ઠંડો કરો.

ગરમી અને ઠંડક

ગરમી અને ઠંડક એ પીડા અને સોજો ઘટાડવાનો એક અસરકારક માર્ગ છે. ગરમી લુબ્રિકેશન અને જડતામાં સુધારો કરે છે અને ઠંડકથી પીડા અને સોજો ઓછો થાય છે.

એક્યુપંક્ચર

ફિઝિયોથેરાપી અને એરોમાથેરાપી સાથે, એક્યુપંક્ચર એ ઘૂંટણની અથવા સાંધાનો દુખાવો ઘટાડવા અને સોજો ઘટાડવાનો બીજો મુખ્ય અસરકારક માર્ગ છે.

 

આ પણ વાંચો: શું વાત કરો છો! ડાયાબીટીસ, બ્લડ પ્રેશર, ત્વચા, વાળ જેવી અનેક સમસ્યાઓમાં ગુણકારી ‘આંબાના પાન’, જાણો વિગત

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Next Article