
જે લોકોને પેટમાં અલ્સરની સમસ્યા છે, એવા લોકોએ મરચાંના સેવનને સંપૂર્ણપણે ટાળવું જોઈએ. મરચું ખાવાથી ઘા વધુ ઊંડા થાય છે અને સમસ્યા ખૂબ જ ગંભીર બની જાય છે.

જે લોકોને એસિડિટીની સમસ્યા છે, તેમણે મરચા ખાવાનું ટાળવું જોઈએ. ખાસ કરીને લાલ મરચું બિલકુલ ન ખાવું જોઈએ, નહીંતર પેટમાં બળતરા અને એસિડિટીની સમસ્યા ઘણી વધી જાય છે. આ સિવાય જે લોકો વધુ મરચાનું સેવન કરે છે, તેમને આ કારણે તેમને ઘણી વખત ઝાડાની સમસ્યા પણ થાય છે.