TV9 GUJARATI | Edited By: Gautam Prajapati
Oct 15, 2021 | 12:00 PM
મોઢાના ચાંદા માટે મધ - મોઢાના ચાંદાની સારવાર માટે મધ ફાયદાકારક છે. આ માટે, મધમાં એક ચપટી હળદર મિક્સ કરીને ઉપયોગ કરી શકાય છે. તે મોઢાના ચાંદાને મટાડવામાં મદદ કરે છે.
મોઢાના ચાંદા માટે નાળિયેર તેલ - નાળિયેર તેલમાં એન્ટી ફંગલ અને એન્ટી વાયરલ ગુણધર્મો તેમજ બળતરા વિરોધી ગુણધર્મો હોય છે. તે દુખાવાથી તરત રાહત આપે છે. તે અસરગ્રસ્ત જગ્યા પર દિવસમાં ઘણી વખત લગાવી શકાય છે.
મોઢાના ચાંદા માટે એલોવેરા જ્યુસ - એલોવેરાનો જ્યૂસ મોઢામાં દુખાવો ઓછો કરી શકે છે. જ્યારે તેનો નિયમિત ઉપયોગ કરવામાં આવે. મોના ચાંદામાંથી રાહત મેળવવા માટે, દિવસમાં બે વખત તમારા મોઢામાં એલોવેરાનો રસ લગાવો.
મોઢાના ચાંદા માટે તુલસીના પાન - ઔષધીય ગુણોથી સમૃદ્ધ તુલસી મોઢાના ચાંદાને અસરકારક રીતે મટાડવાનું કામ કરે છે. તેમાં એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો છે. મોઢાના ચાંદાના દુખાવામાં રાહત મેળવવા માટે તુલસીના પાન ચાવો અને દિવસમાં બે વાર ગરમ પાણીથી ગાર્ગલ કરો.